SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ શ્રી તારંગા તીર્થ સંભળાવી રહ્યું છે. પરમાત મહારાજા કુમારપાળે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના સઉપદેશથી ૧૪૪૪ નવાં ભવ્ય દેરાસરો બંધાવ્યા તથા ૧૦૦ દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તારંગા પહાડ ઉપર ૮૦૦ વર્ષ જાનુ શ્રી અજીતનાથ ભગવાનનું વિશાલ - ભવ્ય મંદિર છે. કલિકાલ સર્વજ્ઞ શાસન પ્રભાવક આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યની પ્રેરણા અને ઉપદેશથી ગુર્જર નરેશ મહારાજા કુમારપાળે સંવત. ૧૨૨૧માં આ મંદિર બંધાવ્યું હતું અને તેની પ્રતિષ્ઠા પણ શ્રી હેમચંદ્રાચાર્ય પાસે કરાવી હતી. • જૈનોના પાંચ મુખ્ય તીર્થો છે. (૧) શત્રુંજય (૨) ગિરનાર (૩) સમેતશીખરજી (૪) દેલવાડા (૫) તારંગા સિદ્ધાચલજીના ૧૦૮ નામો છે, તેમાં એક નામ "તારણગિરિ” છે. તારણગિરિ એટલેજ તારંગા, આ દ્રષ્ટિએ તારંગા તે સિદ્ધાચલજીની ટૂક ગણાય છે. કહેવાય છે કે પહેલા શત્રુંજયની તળેટી વડનગર હતી. અમદાવાદથી મહેસાણા થઈને તારંગા જવાય છે. અમદાવાદથી મહેસાણા ૭૬ કિલોમીટર અને મહેસાણાથી તારંગા ૭૨ કિલોમીટર દૂર છે, જેથી અમદાવાદથી તારંગા ૧૪૮ કિલોમીટર દૂર છે. રેલવે તથા બસ દ્વારા તારંગા જઈ શકાય છે. બસ દેરાસર સુધી જાય છે. જૈનોના વર્તમાન ચોવીસીના ૨૪ તીર્થકરો પૈકી બીજા તીર્થંકર પરમાત્મા શ્રી અજીતનાથ ભગવાન છે. શ્રી અજીતનાથ ભગવાનનો જન્મ વિનીતા નગરીમાં થયો હતો. પિતાનું નામ જિતશત્રુ, માતાનું નામ વિજયારાણી હતું. - શ્રી અજીતનાથ ભગવાન - શ્યવન કલ્યાણક – વૈશાખ સુદ - ૧૩ જન્મ કલ્યાણક - માહ સુદ - ૮ દીક્ષા કલ્યાણક - માહ સુદ - ૯ કેવળજ્ઞાન કલ્યાણક – પોષ સુદ - ૧૧ મોક્ષ કલ્યાણક - ચૈત્ર સુદ - ૫ શ્રી અજીતનાથ ભગવાનની કાયા સાડા ચારસો ધનુષ ઊંચી સુવર્ણ જેવી ક્રાંતીવાળી હતી. ૭૨ લાખ પૂર્વનું તેમનું આયુષ્ય હતું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, શ્રાવિકાનો વિશાલ પરિવાર હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy