________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
શ્રી સીમંધરસ્વામી તીર્થ - મહેસાણા
અમદાવાદથી ૭૬ કિલો મીટર દૂર આવેલ મહેસાણા ગામ વિક્રમની ૧૨ મી સદી પૂર્વે વસેલું ગામ છે. ગામમાં ૧૫ દેરાસરો છે. સૌથી પ્રાચીન અને મોટું દેરાસર શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાનનું છે. મહેસાણા નગરના સીમાડેથી પસાર થતા રાજકીય ધોરી માર્ગના બંને છેડેથી આગળ વધતો પ્રવાસી દૂરદૂરથી, આકાશમાં ઊંચે ઊંચે લહેરાતી ધજાને જુએ છે અને એની જિજ્ઞાસા જાગી ઉઠે છે. આ ધજા કયા દેવના મંદિર ઉપર ફરકતી હશે ? અને સોહામણું આ શિખર કયા દેવના ધર્મપ્રાસાદની ગૌ૨વગાથા સંભળાવતું હશે? આવા શોભાયમાન ધર્મપ્રેમી પ્રાસાદમાં કયા દેવ બિરાજમાન હશે ?
૧૭૫
જ્યાં તે દેરાસર પાસે આવે છે, ત્યાં ભવ્ય પ્રવેશદ્વાર ઉ૫૨ના અંકિત શબ્દો વાંચે છે ' શ્રી સીમંધરસ્વામી – મોક્ષ – પ્રવેશદ્વાર' અને તે હર્ષવિભોર બની જાય છે કારણ કે આખા ભારતમાં શ્રી સીમંધરસ્વામી ભગવાનનું આવું ભવ્ય મોટું મંદિર અને આવા વિશાલકાય મૂર્તિ બીજી કોઈ જગ્યાએ નથી.
શ્રી સીમંધરસ્વામી જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરદેવરૂપે ઠેરઠેર વિચરી રહ્યા છે અને ધર્મની વ્યાપક વાણી દ્વારા વિશ્વ ઉપર અનંત ઉપકાર કરી રહ્યા છે. તેમના પિતાનું નામ શ્રેયાંસ રાજા અને માતાનું નામ સત્યકીદેવી છે. એમના લગ્ન રૂક્ષ્મણીદેવી સાથે થયા હતા.
શ્રી ચ્યવન કલ્યાણક - અષાઢ વદ ૧
શ્રી જન્મ કલ્યાણક - ચૈત્ર વદ
૧૦
શ્રી દીક્ષા કલ્યાણક - ફાગણ સુદ - ૩
શ્રી કેવળજ્ઞાન કલ્યાણક – ચૈત્ર સુદ - ૧૩
-
પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી સંવત ૨૦૨૮ વૈશાખ સુદ ૬ ના રોજ આ તીર્થની પ્રતિષ્ઠા થઈ હતી. શ્રી સીમંધરસ્વામીના મંદિરની નિર્માણ શૈલી દર્શનીય છે. આટલું વિશાલ તેમજ સગવડવાળું મંદિર ભારતમાં બીજે કયાંય નથી.
મૂળનાયક શ્રી સીમંધરસ્વામીની ૧૪૫ ઇંચ ઉંચી પદ્માસનસ્થ શ્વેત વર્ણવાળી ભવ્ય પ્રતિમાજી છે. પ્રભુજીનાં દર્શન કરતાં સાક્ષાત શ્રી સીમંધરસ્વામીનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org