________________
૧૭૬
શ્રી ગાંભુ તીર્થ
દર્શન કરતાં હોય તેવો ભાવ પ્રગટ થાય છે. ભકતનું હૃદય નાચી ઉઠે છે. આ જિનાલય, એકસો અડસઠ ફૂટ પાંચ ઇંચ લાંબુ, સત્તાણુ ફૂટ એક ઇંચ પહોળું અને અકસો સાત ફૂટ એક ઇંચ ઉંચું બનેલ છે. ધ્વજદંડ સાથે એની ઉંચાઇ એકસો પચીસ ફૂટ એક ઇંચ જેટલી થાય છે. આ માપ ઉ૫૨થી જિનાલયની વિશાલતાનો ખ્યાલ આવી શકે.
બાજુમાં વિશાલ ધર્મશાળા, ઉપાશ્રય તથા ભોજનશાળા આવેલ છે. મહેસાણામાં આવેલ શ્રી વિશ્વ કલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ કંબોઈ નગર પાસે, મહેસાણા - ૩૮૪ ૦૦૨ સુંદર ધાર્મિક પુસ્તકોનું પ્રકાશન કરે છે.
શ્રી ગાંભુ તીર્થ
મહેસાણાથી મોઢેરા રોડ માર્ગ ઉપર ગણેશપુરા થઈને ૨૦ કિલોમીટર
દૂર છે.
શ્રી ગાંભુ તીર્થમાં શ્રી સંપત્તિ મહારાજના સમયના ખૂબ પ્રાચીન શ્રી ગંભીરા પાર્શ્વનાથ ભગવાન છે. અહીંનો ઇતિહાસ નવમી સદી પૂર્વેનો છે. અહીં ઘણી પ્રતિમાઓ જમીન ખોદતાં મળી આવેલ છે.
ધર્મશાળા, તથા ઉપાશ્રય છે.
શ્રી પાટણ તીર્થ
અમદાવાદથી ૧૩૦ કિલોમીટર દૂર આવેલ પાટણ ગુજરાતનું જુનું પાટનગર હતું. સંવત ૭૪૬માં શ્રી વનરાજ ચાવડાએ આ નગર વસાવ્યું હતું. તેમના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી અણહિલપુર પાટણ નામ આપ્યું હતું. સરસ્વતી નદીના તટે વસેલું પાટણ, ગુજરાતની રાજધાની હતી. શ્રી વનરાજ ચાવડાએ શ્રી પંચાસરા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ધામધૂમપૂર્વક પંચાસરમાંથી લાવીને અત્રે પાટણમાં દેરાસર બંધાવી બિરાજમાન કરી હતી.
શ્રી પંચાસર પાર્શ્વનાથ ભગવાનનું અતિ ભવ્ય વિશાલ દેરાસર છે. મહારાજા સિદ્ધરાજ, મહારાજા કુમારપાળ તથા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના સમયમાં આ નગરી વિસ્તારમાં, વૈભવમાં, શોભામાં, સમૃદ્ધિમાં, વેપારમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org