________________
૧૭૪
શ્રી જયત્રિભુવન તીર્થ તીર્થ આવે છે. મૂળનાયક શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ ભગવાન છે. જે વિક્રમની તેરમી સદીમાં એક મોટા વૃક્ષ નીચે ભૂગર્ભમાંથી પ્રગટ થયા હતા.
શ્રી કુમારપાળ મહારાજાએ આ મંદિરનું નિર્માણ કરી પ્રભુ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. બીજા ત્રણ મંદિરો છે. શ્રી મહાવીરસ્વામી ભગવાનના દેરાસરમાં બિરાજમાન શ્રી ક્ષેત્રપાલજી ઘણાં ચમત્કારી છે. આજુબાજુ વનરાજી તથા પહાડો આવેલ છે, જેથી તીર્થ ઘણું ભવ્ય લાગે છે.
ઉપાશ્રય, ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે.
- શ્રી જય ત્રિભુવન તીર્ણ - નંદાસર
અમદાવાદથી ૪૫ કિલોમીટર દૂર હાઇવે ઉપર આવેલ શ્રી જય ત્રિભુવન તીર્થ-નંદાસણ ભકતગણ ને ભકિત માટે આહવાન આપતું અનોખું તીર્થ છે. વિશાલ જગ્યામાં શોભતો અષ્ટકોણ મહાપ્રાસાદ છે. જેમાં પ૧ ઈચના મૂળનાયક શ્રી મનમોહન પાર્શ્વનાથ, શ્રી કલિકુંડ પાર્શ્વનાથ. ગુરુ ગૌતમસ્વામી, શ્રી પદ્માવતી દેવી શ્રી માણિભદ્રવીર તથા બીજા તીર્થકર ભગવંતોના પ્રતિમાજી બિરાજમાન છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી આ તીર્થ નિર્માણ થયેલું છે. જેની પ્રતિષ્ઠા સંવત ૨૦૫૧ વૈશાખ સુદ - ૭ રવિવાર તા. ૭-૫-૯૫ ના રોજ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં થઈ હતી. વિશાળ જગ્યામાં આવેલ આ તીર્થમાં ધર્મશાળા, ઉપાશ્રય તથા ભોજનશાળાની સગવડ છે. ૧૨ બ્લોકવાળી ધર્મશાળા પણ તૈયાર થઈ ગઈ છે.
પેઢી - શ્રી જયત્રિભુવન (મનમોહન પાર્શ્વનાથ) તીર્થ ટ્રસ્ટ, નિંદાસણ – ૩૮૨ ૭૦૬ તા. કડી, વાયા કલોલ, STD ૦૨૭૬૯ ટે. નં. ૮૩૨૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org