________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૧૬૯
શ્રી ભોયણી તીર્થ
અમદાવાદથી કલોલ-કડી થઈ ભોયણી જવાય છે. કડીથી ભોયણી ૮ કિલોમીટર દૂર છે. ભોયણી પ્રાચીન તીર્થ છે. મૂળનાયક શ્રી મલ્લીનાથ ભગવાનની શ્વેતવર્ણ પદ્માસનસ્થ પ્રતિમાજી છે. આ પ્રતિમાજી કુવો ખોદતાં જમીનમાંથી નીકળ્યા હતા. પ્રતિમાજી સુંદર અને શોભાયમાન છે. દેરાસરમાં સાત ગભારા છે. વિશાલ ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. અહીંના મસાલા વખણાય છે.
શ્રી મહડી તીર્થ
અમદાવાદથી મહુડી વાયા ગાંધીનગર ૭૯ કિલોમીટર દૂર જ્યારે વાયા કલોલ થઈને ૯૦ કિલોમીટર દૂર છે.
અમદાવાદથી ગાંધીનગર થઈ મહુડી જવાય છે મહુડી ગુજરાત રાજ્યના મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકામાં આવેલ જાણીતું તીર્થધામ છે.
આ ક્ષેત્રમાંથી જમીનમાંથી મુર્તિઓ તથા કલાત્મક અવશેષો મળી આવ્યા હતા. જેના ઉપરથી લાગે છે કે બે હજાર વર્ષ પહેલા અહીં જૈન મંદિરો હશે અને જૈનોની સારી એવી વસતી હશે. મળી આવેલ પંચધાતુના પ્રતિમાજી ઉપર ૨૦૦૦ વર્ષ પહેલાનો લેખ છે.
હાલમાં શ્રી મૂળનાયક પદ્મપ્રભસ્વામી ભગવાનનું ભવ્ય દેરાસર છે. આ પ્રતિમાજી પણ પ્રાચીન છે. તેમની પ્રતિષ્ઠા સંવત. ૧૯૭૪માં પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. ની નિશ્રામાં થઈ હતી. ભમતીવાળું સુંદર દેરાસર
છે.
આ મંદિરની પાસે શ્રી ઘંટાકર્ણ મહાવીરનું તથા શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ.સા. નું ગુરૂમંદિર છે.
મહુડીથી દોઢ કિલોમીટર દૂર સાબરમતી નદી છે. શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ તે બાવન વીર પૈકીના ત્રીસમાં વીર છે. તેઓ શ્રી જૈનશાસનના રક્ષક દેવ ગણાય છે.
શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ પૂર્વભવમાં જંબુદ્વીપમાં આર્યક્ષેત્રમાં તુંગભદ્ર નામે ક્ષત્રિય રાજા હતા. તેઓ ધર્મી આત્માઓનું, સતીઓનું, કુંવારી કન્યાઓનું, જંગલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org