________________
૧૬૮
શ્રી શેરીસા તીર્થ બન્યો હતો.
પરમ પૂજ્ય પંન્યાસ શ્રી અશોકસાગરજી, પ. પૂ. પંન્યાસ શ્રી જિનચન્દ્રસાગર તથા પ.પૂ. પંન્યાસ શ્રી હેમચન્દ્રસાગર છાણીના વતની છે, જેઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
પેઢી - શ્રી શાંતિનાથ જૈન શ્વે. મૂ. સંઘ, છાણી - ૩૯૧ ૭૪૦ (જિલ્લો : વડોદરા)
શ્રી શેરીસા તીર્થ
અમદાવાદ થી કલોલ - ૩૦ કિલોમીટર અને કલોલથી શેરીસા ૮ કિલોમીટર એટલે અમદાવાદથી ૩૮ કિલોમીટર દૂર શ્રી શેરીસા તીર્થ છે. વિક્રમ સંવત. ૧૫૦૦ પહેલાનું આ ભવ્ય તીર્થ છે. મૂળનાયક શ્રી શેરીસા પાર્શ્વનાથની શ્યામવર્ણ, પદ્માસનસ્થ પ્રતિમાજી છે શેરીસાતથા રાજગ્રાહી (બિહાર)ના દેરાસરની બાંધણી મળતી આવે છે. ભોંયરામાં શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા દેરાસરમાં શ્રી પદ્માવતીદેવીનાં ભવ્ય પ્રતિમાજી છે.
ઉપાશ્રય, ધર્મશાળા, ઉતરવા માટેના બ્લોકો તથા ભોજનશાળાની સગવડ
શ્રી પાનસર તીર્થ
અમદાવાદથી લોલ ૩૦કિલોમીટર તથા કલોલથી પાનસર ૭કિલોમીટર એટલે અમદાવાદથી પાનસર ૩૭ કિલોમીટર દૂર છે.
વિશાલ ધર્મશાળાની વચ્ચે ભવ્ય દેરાસર આવેલું છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની શ્વેતવર્ણ પદ્માસનસ્થ પ્રતિમાજી બિરાજમાન છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાન તથા ઘણા પ્રતિમાજીઓ જમીનમાંથી મળી આવ્યા હતા, જેથી પ્રાચીન કાળમાં આ મોટું તીર્થ હશે. દેરાસરના પાછળના ભાગમાં પાવાપુરી - જળમંદિર છે. ઉપાશ્રય, વિશાલ ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org