________________
ભારતના મુખ્ય જૈન તીર્થો ફરતો મજબૂત પ્રાચીન કિલ્લો છે.
શ્રી ખૂણી તીર્થ (દીક્ષાની ખાણી)
ભારત એ સ્વયં તીર્થભૂમિ છે. પ્રદેશે પ્રદેશે અને ખૂણે એમાં તીર્થો છે. એવા અનેક ગામો, નગરો અને શહેરો છે જેણે અઘ્યાત્મિકતાના અમૃત પીને પોતાની ધરતી આગવી વિશિષ્ટતાથી સજાવી છે.
૧૬૭
આઘ્યાત્મિકતાની મહાન વાતો કરનારા ધર્મોમાં જૈન ધર્મ એકજ છે પરંતુ એની વિશિષ્ટતા એ છે કે એ ધર્માનુસાર આચરણ કરનારા આજે પણ સેંકડો નહીં પરંતુ હજારો શ્રદ્ધાળુઓ એનું આધ્યાત્મ અમૃત પીને ધન્યતા પામી રહ્યા છે. જૈન ધર્મની દાર્શનિકતા, તાર્કિકતા, તાત્વિકતા, સાત્વિકતા, સાપેક્ષવાદિતા વગેરે એવા તો છે કે એને નિહાળનારા વિદેશીઓ પ્રભાવિત થઈ જાય છે.
અમદાવાદથી વડોદરા જતાં હાઇવે પર વડોદરા પહેલાં છાણી નામે ગામ આવે છે. છાણીથી વડોદરા ૬ કિલોમીટર દૂર છે. અમદાવાદથી છાણી ૧૧૪ કિલોમીટર દૂર છે. મૂળ સયાજીરાવના રાજ્ય (વડોદરા)ના સંરક્ષણ માટે નજીકમાં જ છાવણી નાંખીને ચતુરંગી સેના રહેતી અને એમની જરૂરીયાતો સપ્લાય કરવા વેપારીઓ ત્યાં ધંધો કરતા તથા રહેતા. એટલેજ આ ગામનું નામ છાણી પડ્યું.
સદીઓ પુરાણું એ સ્થાન છે. ૧૨મી સદીમાં થઈ ગયેલા મહારાજા કુમારપાળે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી બેમાળનું ભવ્ય જિનાલય બંધાવ્યું હતું. પ્રાચીન કાળમાં છાણી ગામમાં પાંચ જિનાલયો હતા.
ફકત ૩૦ હજારની વસ્તીવાળા છાણી ગામાં જૈનોનાં ૮૦ જેટલાજ કુટુંબો છે. પરંતુ એ પ્રત્યેક કુટુંબોના વડીલોનું સંસ્કારસિંચન તથા ઘરનું વાતાવરણ એવું પવિત્ર રહ્યું છે કે એની ૧૫૦ કરતાં વધુ વ્યકૃિતઓ જૈન સાધુ ધર્મને સ્વીકારી ચુકી છે.
Jain Education International
છાણીના શેઠ શાંતિલાલ છોટાલાલ પરિવારની આઠ વ્યકિતઓ એ દીક્ષા અંગીકાર કરી છે.
સંવત ૨૦૫૧ ના મહા વદ ૬, મંગળવાર તા. ૨૧-૨-૯૫ ના રોજ ઉજવાયેલ છાણીના શ્રી શાંતિનાથ ભગવાનના જિનાલયના શતાબ્દિ મહોત્સવ પ્રસંગે છાણીની વ્યકિતઓ કે જેમને દીક્ષા લીધી હતી તેવા ૧૨૫ પરમપૂજ્ય સાધુ - સાધ્વીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વમાં વિક્રમ સર્જનાર આ પ્રસંગ
For Private & Personal Use Only
www.jainelibrary.org