SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ શ્રી ઝગડિયા તીર્થ ની ગાયિા તીર્થ ભરૂચથી ૨૨ કિલોમીટર દૂર ઝગડિયા ગામની વચ્ચે આ તીર્થ આવેલું છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની શ્વેત વર્ણની ૧૦૪ સેમી ઉંચી પદ્માસનસ્થ પ્રતિમાજી છે. પ્રતિમાજી ભવ્ય અને આકર્ષક છે. મંદિરના શિખરે અને બહારના તોરણદ્વારની કલા પણ દર્શનીય છે. વિક્રમ સંવત. ૧૯૨૧ માં ગામની નજદીકથી શ્રીચક્રેશ્વરીદેવી તથા અન્ય પ્રતિમાજીઓ ખેતરમાંથી નીકળ્યા હતા. વિક્રમ સંવતઃ ૧૨૦૦ની આસપાસના પ્રાચીન પ્રતિમાજીઓ છે. એ વખતના નરેશ શ્રી ગંભીરસિંહજીએ વિક્રમ સંવત. ૧૯૨૮ માહ વદ –પ ના રોજ દેરાસર બનાવી પ્રતિષ્ઠા કરાવી. ત્યારબાદ તેમના પુત્ર શ્રી છત્રસિંહજી રાણાએ મંદિરનો વહીવટ સંઘને સોંપ્યો. સંઘે વિક્રમ સંવત. ૧૯૫૯માં ફરીથી જીર્ણોદ્ધાર કરાવ્યો. ઉપાશ્રય, વિશાલ ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. પેઢી - શ્રી જૈન રિખવદેવજી મહારાજની પેઢી ઝગડિયા, જિલ્લો ભરૂચ પીન - ૩૯૩ ૧૧૦ થી પાવાગઢ તીર્થ વડોદરાથી ૪૨ કિલોમીટર દૂર ગિરિરાજની તળેટીમાં આવેલું આ નવું સુંદર તીર્થ છે. આ તીર્થક્ષેત્ર વીસમા તીર્થકર શ્રી મુનીસુવ્રતસ્વામી ભગવાનના સમયનું તથા અયોધ્યાપતિ શ્રી રામચંદ્રજીના સમયનું છે. અયોધ્યાપતિ શ્રી રામચંદ્રજીના પુત્રો લવ-કુશ તથા અનેક મૂનિ ભગવંતો ઘોર તપશ્ચર્યા કરી ગિરિરાજ પર મોક્ષે સીધાવ્યા છે. એટલે આ પહાડને સિદ્ધક્ષેત્ર માનવામાં આવે છે. મૂળનાયક શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાન તથા ભોંયરામાં શ્રી નાકોડા પાર્શ્વનાથ ભગવાનની સુંદર પ્રતિમાઓ છે. ઉપાશ્રય, ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. પાવાગઢ પહાડ પર જવા માટે બસ, મેટાડોર તથા જીપની સગવડ છે. શિખર પર જવા માટે રોપ-વેની સગવડ છે. પાવાગઢ ઐતિહાસીક શહેર છે.ગામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy