________________
૧૬૫
ભારતના મુખ્ય જૈન તીર્થો સગવડ છે. દેરીમાં શ્રી ઘંટાકર્ણ મહાવીર તથા શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રતિમાજીઓ છે.
ભરૂચથી ઝઘડિયા ૨૨ કિલોમીટર '' દહેજ - ૪૫ ” ગંધાર - ૪૫ '' ” કાવી - ૭૫ )
ગરી ભકતામર સ્તોત્ર
ઘણા વર્ષો પહેલા માળવા પ્રાંતની રાજધાની ધારા નગરીમાં રાજા ભોજ રાજ્ય કરતા હતા. રાજા વિદ્વાન અને ઉદાર હતા. તેમના રાજ દરબારમાં વિદ્વાન પંડિતો હતા. કેટલાક પંડિતોએ જૈન ધર્મને ઉતારી પાડવા શૈવ ધર્મની પ્રશંસા કરી. જૈનોને ખુબજ દુઃખ થયું. પરમ પૂજ્ય માનતુંગાચાર્યને વાત કરી. પૂજ્ય આચાર્ય ભગવંતે રાજાને જૈન ધર્મ અને જૈન આચાર્યની શકિતની પરીક્ષા કરવા કહેણ મોકલાવ્યું. રાજા ભોજે શ્રી માનતુંગાચાર્યને સન્માનપૂર્વક રાજદરબારમાં તેડાવ્યા. આચાર્યજીની ઇચ્છાથી રાજાએ આચાર્યજીને હાથપગમાં લોખંડની ૪૮ બેડીઓ પહેરાવી, એક અંધારા ઉડા ભોંયરામાં રાખ્યા. બહારથી ભોયરાને મજબૂત તાળાં લગાવી ચોકી પહેરાનો બરોબર બંદોબસ્ત કર્યો.
પ્રભુ પ્રત્યેની અપાર ભકિતથી શ્રી સરસ્વતીદેવી પ્રત્યક્ષ આચાર્યશ્રીના કંઠમાં આવી. શ્રી આદીશ્વર ભગવાનની સ્તુતિના છંદો જેમ જેમ રચાતા ગયા તેમ તેમ બેડીના બંધનો તૂટતાં ગયાં. આવી રીતે શ્રી ભક્તામર સ્તોત્રની ૪૮ ગાથાઓની રચના થઇ. તેમાંથી ૪૪ ગાથાઓ પ્રચલિત છે.
દિવસમાં એકવાર આવા સ્તોત્રો ગાવાથી યા સાંભળવાથી આત્માનું કલ્યાણ થાય છે.
જૈન શાસ્ત્રો, આગમો અને મહાન આચાર્યોના રચેલાં પુસ્તકોનો સાર ત્યાગ છે, જૈન શાસન સંસારનાં ક્ષણિક સુખોમાં માનતું નથી. ત્યારથીજ સુખ મળે છે. સંસાર સુખ ક્ષણિક છે અને દુઃખની પરંપરા વધારનાર છે.
શ્રી ભક્તામર ભવ્ય મંદિર ભરૂચની રચના ઉપરના પ્રસંગને તથા શ્રી ભક્તામર સ્તોત્રને અનુલક્ષીને થઈ છે.
પેઢી - શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન દેરાસર પેઢી શ્રીમાળી પોળ, ભરૂચ, પીન - ૩૯૨ ૦૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org