SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભરૂચ તીર્થ ૧૬૪ ભવ્ય પ્રતિમાજી છે. ૪૧ ઈચની શ્રી મુનિસુવ્રતસ્વામીની ઉભી શ્યામ રંગની પ્રતિમા છે. (૩) શ્રી ભક્તામર ભવ્ય મંદિર - જૈનોના મહાન સ્તોત્ર શ્રી ભક્તામર સ્તોત્રનું એક મંદિર રૂપે ભારતભરમાં સૌ પ્રથમવાર મંદિર અહીજ નિર્માણ થયું છે. ભોંયરામાં આવેલ આ મંદિરમાં ભક્તામર સ્ત્રોતની મહિમાવંત ૪૪ ગાથાના આલેખનને આવરી લેવા માટે કુલ – ૨૨ દેવકુલિકાઓની રચના કરી છે. પ્રત્યેક દેવકુલિકાઓ આરસમાંથી બનાવવામાં આવી છે. આ - ૨૨ દેવકુલિકાઓમાં પ્રથમ તથંકર શ્રી ઋષભદેવ ભગવાનની ૨૨ પૂજનીક નવી પ્રતિમાજી બિરાજમાન કરેલ છે. ૪૪ ગાથાઓના પ્રતિક રૂપમાં ૪૪ પ્રતિમાજી બિરાજમાન છે. પ્રતિમાજીઓની સાથે ભક્તામરની ગાથાઓ તથા યંત્રો - ચિત્રો આલેખવામાં આવ્યા છે. પ્રત્યેકદેવકુલિકાઓ બે થાંભલાની વચમાં આવતી હોવાથી એક નયનરમ્ય મંદિર સમી લાગે છે. મૂળનાયક શ્રી ભક્તામર તીર્થાધિરાજ શ્રી આદીશ્વર ભગવાનની પ્રાચીન ૫૧ ઇંચની મૂર્તિ છે. શ્રી ભક્તામર સ્તોત્ર રચયિતા શ્રી માનતુંગસૂરીશ્વરજી મ. સા. ની લોખંડની બેડીમાં જકડાયેલી મોટી ભવ્ય અદ્ભૂત મૂર્તિ છે. શ્રી મરૂદેવીમાતા, શ્રી ભરત મહારાજા સાથે શ્રી આદીશ્વર ભગવાનના દર્શન કરવા જાય છે, તે મૂર્તિ છે. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. તથા શ્રી વિક્રમસૂરીશ્વરજી મ. સા. ની મૂર્તિઓ છે. શ્રી ભક્તામર આરાધના જાપ મંત્ર નમો અરિહંતાણે - સિધ્ધાણે સૂર્ણ ઉવજઝાયાણં સાહૂણે મમ ઋધ્ધિ વૃધ્ધિ સમીહિત કુરુ કુરુ સ્વાહી પ્રતિદિન ૩૨ વાર જાપ અવશ્ય કરવો, દેરાસરની સામે ઉપાશ્રય, પાઠશાળા, ધર્મશાળા તથા ભોજનશાળાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy