SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો શ્રી ડોળીયા તીર્થ સૌરાષ્ટ્રના સૂરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકામાં અમદાવાદથી વાયા લીંબડી થઇને - ૧૪૨ કિલોમીટર દૂર આવેલ નૂતન તીર્થ છે. વિશાલ ભવ્ય દેરાસર છે. મૂળનાયક શ્રી શંખેશ્વર - નેમિનાથ ભગવાનની શ્યામ વર્ણની પ્રતિમાજી છે. દેરાસરના ઉપરના ભાગમાં પંચધાતુની શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય પ્રતિમાજી છે. એક દેરીમાં શ્રી કૃષ્ણભગવાન રથમાં બેસીને શંખ ફૂંકે છે તેનું શિલ્પ છે. બીજી દેરીમાં શ્રી ધરણેન્દ્ર - પદ્માવતીજી શ્રી પાર્શ્વનાથ ભગવાનની ભકિત કરે છે, તેની મૂર્તિ તથા શિલ્પ છે. પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રામચન્દ્રસૂરિશ્વરજી મા.સા. નું ગુરૂમંદિર છે. ઉપાશ્રય, વિશાલ ધર્મશાળાઓ તથા ભોજનશાળાની સગવડ છે. પેઢી – શ્રી જૈન હિતવર્ધક મંડળ શ્રી શંખેશ્વર નેમિશ્વર જિનેન્દ્રપ્રાસાદ મુ. ડોળીયા, (તા. સાયલા) જી. સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર) શ્રી શીયાણી તીર્થ ૧૫૯ સૌરાષ્ટ્રના લીંબડી તાલુકામાં શીયાણી ગામ આવેલું છે. અમદાવાદથી શીયાણી વાયા લીંબડી થઈને ૧૧૫ કિલોમીટર દૂર છે. લીંબડીથી શીયાણી ૧૩ કિલોમીટર દૂર છે. ગામની મધ્યભાગમાં આવેલ આ પ્રાચીન ત્રણ માળનું મંદિર સંપ્રતિ મહારાજના સમયમાં નિર્માણ પામ્યાનું કહેવાય છે. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની શ્વેતવર્ણની ૧૩ ઇંચની પ્રતામાજી છે. બાજુમાં શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી ઋષભદેવ ભગવાન વગેરે પ્રતિમાજીઓ છે. દક્ષિણ દિશાના દરવાજા પર શિલ્પકલાના નમુનારૂપસરસ્વતીદેવીની પ્રતિમા છે. ભોંયરાની સીડી પાસે ઘોડેસ્વારનો પાળિયો છે. દેરાસરના ઉપરના ભાગમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના પ્રતિમાજી છે. દર વર્ષે માગશર સુદ – પાંચમે મેળો ભરાય છે. ઉપાશ્રય, ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. પેઢી - શ્રી શાંતીનાથજી જૈન દેરાસરજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy