SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રી હાલાર તીર્થ જામનગરથી હાઈવે રોડ ઉપ૨ ૪૫ કિલોમીટરના અંતરે અને જામખંભાલીયાથી જામનગ૨ – દ્વારકા હાઈવે રોડ ઉપ૨ ૧૧ કિલોમીટરના અંતરે શ્રી હાલાર તીર્થ - આરાધનાધામ આવેલ છે. મુંબઈ - અમદાવાદથી જામનગર જામખંભાલીયાટ્રેઈન દ્વારા તથા જામૃનગર-જામખંભાલીયાથી બસ, રીક્ષા, ટેમ્પો, ટેક્ષી આદિ સાધનો મળે છે. સિંહણ નદીના કિનારે, ડેમના લહેરાતા જળના તરંગોના આધારે, વિવિધ ફળોના ઉધાન પાસે, પશ્ચિમ સમુદ્રના સહારે આ સુંદર રમણીય, ભવ્ય તીર્થ આવેલું છે. ૩૫ ફૂટ ઉંચું પ્રવેશદ્વાર રામપોળની યાદ અપાવે તેવું સુંદર છે. મૂળનાયક તીર્થાધિપતિ ૭૧ ઇંચ ઉંચા શ્રી મહાવીરસ્વામી ભગવાન છે. દેરાસરમાં શ્રી આદીશ્વર ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન,શ્રીપુરૂષાદાનીય પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. દેરાસરના મુખ્ય દ્વારની બાજુમાં શ્રી શાસનરક્ષક શ્રી માણિભદ્રવીર તથા શ્રી સરસ્વતીદેવીની દેરીઓ છે. મંદિરની ઉંચાઇ ૯૮ ફૂટની છે. 50-50 કિલોના પિત્તળના બે ઘંટ છે. હાલાર તીર્થનો પ્રતિષ્ઠા મહોત્સવ સંવત ૨૦૪૯ મહા સુદ - ૧૩ તા. ૫-૨-૯૩ ના રોજ ઘણી ધામધૂમપૂર્વક ૩ પૂજ્ય આચાર્ય ભગવંતો તથા ૧૨૫ જેટલા પૂજ્ય સાધુ - સાધ્વીજીની નિશ્રામાં ઉજવાયો હતો. શ્રી હાલાર તીર્થ ઉપાશ્રય, આયંબેલશાળા, વિશાલ ધર્મશાળાઓ, ભોજનશાળા, તથા પાંજરાપોળ હાલાર તીર્થમાં આવેલ છે. પેઢી - હાલાર તીર્થ આરાધના ભવન મું વડાલિયાસિંહણ પીન કોડ નંબર - ૩૧૬ ૩૦૫ તા. જામખંભાલીયા, જી. જામનગર (સૌરાષ્ટ્ર) STD કોડ - ૦૨૮૩૩ ટે. નં. ૨૭૨૧ - ૩૧૬૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy