SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૧૫૬ પેટી - શ્રી જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ છે. શ્રી પાર્શ્વનાથ જૈન દેરાસર. મોચી બજાર, પો. અંજાર (કચ્છ) પિન - ૩૭૦ ૧૧૦. ગાંધીધામ. અંજારથી ૧૬ કિલોમીટર દૂર છે. ભદ્રેશ્વરથી ૩૫ કિલોમીટર દૂર છે. ભારત - પાકિસ્તાનના ભાગલા પડ્યા પછી ભારત સરકારે આ કંડલા બંદર વિકસાવ્યું છે. રેલવે, બસ તથા વિમાનમાર્ગ ગાંધીધામ અન્ય શહેરો સાથે જોડાયેલું છે. કંડલામાં ખનિજ તેલ, થર્મલ પાવર સ્ટેશન, મીઠાનું કારખાનું તથા પોર્ટ ટ્રસ્ટની કચેરી જોવા લાયક છે. આ ગામ આખું નવું જ બન્યું છે. ફ્રી પોર્ટ છે. (Free Port) છે. આ બંદરને વધુ વિકસાવવા ગુજરાત સરકાર પૂરા પ્રયત્ન કરે છે. મોટી સ્ટીમરો દેશ - પરદેશથી આવજા કરે છે. ગાંધીધામ ઊતરવા તથા જમવા માટે ગાંધીધામ રેલવે સ્ટેશનની સામે શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન મહાજન (ગાંધીધામ) સંચાલિત શ્રી મુરજી ખેતશી છેડા ઉનડોકવાલા અતિથિગૃહ પ્લોટ નં. ૧૨, વોર્ડ -૧૨ એ ગાંધીધામ (કચ્છ) ટે.નં. ૨૦૮૩૫, સામે મોટું એસ.ટી. બસ સ્ટેન્ડ છે, જ્યાંથી બધા ગામોની બસો મળે છે. દેરાસરો (૧) ગાંધીધામ ગામમાં મેડા ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. (૨) પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપૂર્ણસૂરિશ્વરજી મ.સા. ની પ્રેરણાથી ડૉ. નાયકની હૉસ્પિટલની બાજુમાં નવું ભવ્ય શિખરબંધી દેરાસર બન્યું છે. જેમાં મૂળ નાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય પ્રતિમાજી છે. આ દેરાસરની પ્રતિષ્ઠા સંવત ૨૦૪૩ વૈશાખ સુદ ૬ સોમવાર તા. ૪-૫-૮૭ ના રોજ થઈ હતી. બાજુમાં ધર્મશાળા, ઉપાશ્રય તથા પાઠશાળા છે. પેઢી - શ્રી જૈન છે. મૂર્તિપૂજક સંઘ, છે. જૈન દેરાસર, ગાંધીધામ (કચ્છ) પિન - ૩૭૦ ૨૦૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy