________________
૧પપ
પાટનગર ભુજ (૩) આયનામહેલ – રાજાના કુટુંબે વાપરેલ વસ્તુઓનો સંગ્રહ છે. (૪) દરબારગઢ (૫) બુલંદ ટાવર (૬) હમીરસ તળાવ - જે ખૂબ મોટું છે. અમદાવાદના કાંકરિયા તળાવ અને
નગીનાવાડી જેવી બાંધણી છે. (૭) શ્રી સ્વામીનારાયણ મંદિર
ભુજમાં બાટીક પ્રિન્ટની કચ્છી ચાદરો તથા લુંગી સારી મળે છે. સંસ્થા - શ્રી વિશા ઓશવાળ જૈન ગુર્જર જ્ઞાતિ ઠે. વાણિયાવાડ, શેઠ ડોસાભાઈ લાલચંદ રોડ, ભુજ (કચ્છ) પિ. ૩૭૦ ૦૦૧.
કોર (૧) ભુજથી ૧૬૩ કિલોમીટર દૂર કોટેશ્વર સમુદ્ર કાંઠે આવેલું તીર્થધામ છે. અહીં
શરણેશ્વર, કલ્યાણેશ્વર, કમલાદેવી વગેરેના મંદિરો છે. (૨) નારાયણ સરોવર - ભુજથી ૧૬૦ કિલોમીટર દૂર છે. પુરાણપ્રસિદ્ધિ પાંચ
સરોવરમાંનું આ એક સરોવર છે. તીર્થધામ પણ છે. ત્રિકમરાયજી, આદિનારાયણ, લક્ષ્મીનારાયણ, મહાપ્રભુજીની બેઠક વગેરે છે. કાર્તિકી પૂનમે મેળો ભરાય છે.
અંજાર ભુજથી અંજાર ૪૬ કિલોમીટર દૂર છે. અંજાર કચ્છનું ઐતિહાસિક શહેર છે. ગામના નાકે શ્રીમતી જડાવબેન લવજીભાઈ પારેખ જૈન ભવન અતિથિગૃહ છે. (ધર્મશાળા, બાજુમાં દાદાવાડી છે. મેડા ઉપર શ્રી વિમળનાથ ભગવાનનું દેરાસર છે તથી ભોજનશાળા છે. ઊતરવા - જમવાની સારી સગવડ છે.
અંજાર ગામમાં ત્રણ દેરાસરો છે: (૧) મોચી બજારમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું દેરાસર છે. (૨) પટણી બજારમાં શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. (૩) ગંગા બજારમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે.
અહીં વિખ્યાત બહારવટિયાજેસલ જાડેજાની અને સતી તોરલની સમાધિઓ છે. સતીના સત્સંગથી જેસલનું જીવનપરિવર્તન થયું હતું.
અહીંના સુડી-ચપ્પા વખણાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org