________________
શ્રી તેરા તીર્થ - મોટી પંચતીર્થી
શ્રી નલિયા તીર્થથી શ્રી તેરાતીર્થ -૧૩ કિલોમીટર દૂર છે. આ તીર્થમાં બે જિનમંદિરો છે. શ્રી જીરાવલી પાર્શ્વનાથ ભગવાનનું અને બીજું શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે, જે પ્રાચીન છે. જ્યારે શ્રી જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર પાછળથી બનેલ છે. શ્રી જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર
મૂળનાયક શ્રી જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનની ૬૮ સે.મી. ની શ્વેતવર્ણ પદમાસનસ્થ મૂર્તિ છે. આ મંદિરની ભવ્યતા અને કલા સૌન્દર્ય રોમાંચક છે. નવ શિખરોની ધજાઓથી શોભતું આ મંદિર દેવવિમાન જેવું છે. આ જિનાલયની પ્રતિષ્ઠા સંવત ૧૯૧૫ મહા સુદ પ (વસંત પંચમી) સોમવારે આચાર્ય શ્રી રત્નસાગરસૂરિશ્વરજીની નિશ્રામાં થઈ હતી. શેઠ હીરજી ડોસાભાઈ તથા શેઠ પાસવીર રાયમલ નામના શ્રેષ્ઠિઓએ બંધાવ્યું હતું. આ બન્ને શ્રેષ્ઠિઓની મૂર્તિઓ રંગમંડપમાં કોતરેલી છે.
મુખ્ય દેરાસરની આજુબાજુ નીચે મુજબ દેરીઓ આવેલી છે (૧) શ્રી ચન્દ્રપ્રભસ્વામીનું દેરાસર (૨) શ્રી સુમતિનાથ ભગવાનનું દેરાસર (૩) શ્રી કુંથુનાથ ભગવાનનું દેરાસર. (૪) શ્રી અજીતનાથ ભગવાનનું દેરાસર, (૫) શ્રી સંભવનાથ ભગવાનનું દેરાસર. (૬) શ્રી કલ્યાણસાગરસૂરિની મૂર્તિવાળી દેરી.
બાજુમાં એક મોટા ઓરડામાં તીર્થોના પટો આવેલા છે. મુખ્ય દેરાસરની સામે શ્રી શામળિયાજી પાર્શ્વનાથ ભગવાનનું કાચનું પ્રાચીન મંદિર છે. આ મંદિર આશરે ૩૦૦ વર્ષ પહેલાં ગોરજી હીરાચંદ તારાચંદે બંધાવ્યાનું કહેવાય છે. રંગમંડપમાં કાચનું ચિત્રકામ સુંદર છે. શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય પ્રતિમાજી છે. તેમની પાસેથી ખસવાનું મન થાય તેમ નથી.
ધર્મશાળા તથા ભોજનશાળાની સુંદર સગવડ છે. પેઢી – શ્રી જીરાવાળા પાર્શ્વનાથ જૈન દેરાસર ટ્રસ્ટ તેરા (કચ્છ) તા. અબડાસા પિન -૩૭૦ ૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org