________________
૧૫૧
શ્રી જખૌતીર્થ મંદિરોનો સમૂહ છે. જખૌના લોડાયા ગોત્રના શા રતનશીના બે સુપુત્રો શેઠજીવરાજ રતનશી અને શેઠ ભીમશી રતનશીએ અચલગચ્છના આચાર્ય શ્રી મુકિતસાગરસૂરિજીના ઉપદેશથી આ મનોહર જિનાલય બંધાવીને સંવત ૧૯૦૫ મહા સુદ પ વસંતપંચમી ને સોમવારે પ્રતિષ્ઠા કરાવી પોતાના પિતાના નામ ઉપરથી આ જિનાલયનું શ્રી રત્ન ટૂક' નામ આપ્યું. મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનની ૮૪ સે.મી. ની શ્વેત પદમાસનસ્થ મૂર્તિ છે. આ ટૂકમાં ૯ દેરાસરો નીચે મુજબ છે : (૧) શ્રી મહાવીર સ્વામી ભગવાન, ઉપરના માળે શ્રી સંભવનાથ ભગવાન. (૨) શ્રી સુવિધિનાથ ભગવાન. (૩) શ્રી આદીશ્વર ભગવાન (ચૌમુખજી) દેરીઓ - શ્રી શ્રેયાંસનાથ ભગવાન -
શ્રી નેમિનાથ ભગવાન. (૪) શ્રી જીરાવાળા પાર્શ્વનાથ ભગવાન, ઉપરના માળે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ
ભગવાન. (૫) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન, ઉપરના માળે શ્રી ગોડીજી પાર્શ્વનાથ
ભગવાન (૬) શ્રી ગૌતમસ્વામી ગણધર ભગવંત (૭) શ્રી શાંતિનાથ ભગવાન. (૮) શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાન. (૯) શ્રી દાદા કલ્યાણસાગરસૂરીશ્વરજી મ.સા. (૧૦) શ્રી પરોણા પ્રતિમાજી ૨૦ પ્રાચીન પ્રતિમાજી છે
નવા બનતાં દેરાસરોમાં જેમને પ્રાચીન પ્રતિમાજીની જરૂર હોય તેમને શ્રી જખૌ રત્નટૂક જૈન દેરાસરજી પેઢીનો સંપર્ક સાધવો. દેરાસરની બાજુમાં ઉપાશ્રય, સગવડવાળી ધર્મશાળા, ભોજનશાળા વગેરેની સગવડ છે. પેઢી – શ્રી રત્ન ટૂક જૈન દેરાસર પેઢી મુ.પો. જખૌ પિન-૩૭૦ ૬૬૦ (કચ્છ) અબડાસા (કચ્છ) તારઘર જખૌ ટે. નં. ૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org