SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ શ્રી લાયજા તીર્થ ૭૨ જિનાલય બિંદડા ગામથી ૭૨ જિનાલય ૯ કિલોમીટર દૂર છે. વિશાળ જમીનમાં ૭ર શિખરોવાળું ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે. મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન છે. અચલગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય શ્રી ગુણસાગરસૂરિશ્વરજી મ.સા. નું સમાધિમંદિર છે. બાજુમાં વિશાળ ધર્મશાળાઓ, ભોજનશાળા વગેરેની સગવડ છે. શ્રેષ્ઠિ ગાલા પરિવારે આ તીર્થમાં સારી રકમ વાપરી છે. પેઢી – શ્રી આર્ય કલ્યાણ જૈન ચેરીટેબલ ટ્રસ્ટ માંડવી – ભૂજ સડક ઉપર, કોડાય - તલવાણા વચ્ચે, તા. માંડવી-કચ્છ ફોન નં. ૪૨૬. માંડવી (૧) ૭૨ જિનાલયથી શ્રી મેઘજી સેજપાલ જૈન આશ્રમ કચ્છ – માંડવી ૭ કિલોમીટર દૂર છે. ભવ્ય પ્રવેશદ્વાર છે. નિરાધાર વૃદ્ધ - ભાઈ બહેનો માટે આ આશ્રમ છે. તેઓના માટે રહેવા જમવાની સગવડ છે. તેમ જ વૈદકીય સારવાર આપવામાં આવે છે. વિહાર કરવા માટે અસમર્થ સાધુ સાધ્વીને માટે પણ રહેવાની - ગોચરી માટે સગવડ છે. યાત્રિકો માટે ઊતરવાની તથા જમવાની સગવડ છે. સુંદર દેરાસર છે, જેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે. દાદાવાડીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. માંડવી ગામમાં -વાણિયાફળીમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનનું દેરાસર છે. (૪) માંડવી ગામમાં - પાટલા બજારમાં શ્રી ધર્મનાથ સ્વામી ભગવાનનું દેરાસર છે. (૫) માંડવી ગામમાં - પાટલાબજારમાં શ્રી શીતલનાથ ભગવાનનું દેરાસર છે. (૬) માંડવી ગામમાં -આંબા બજારમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનનું દેરાસર છે. (૭) માંડવી બંદર - ઉપર શ્રી અજીતનાથ ભગવાનનું ભવ્ય દેરાસર છે. અહીંથી બંદર જોવા જવાય છે. માંડવી પ્રાચીન બંદર છે. (૨) (3) મા શ્રી લાયજા તીર્થ :::::::::: ::::::: ::::::: : ::::: : : માંડવીથી લાયજાતીર્થ ૧૭ કિલોમીટર દૂર છે. ગામના નાકે વાહન ઊભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy