________________
૧૪૩
શ્રી ભદ્રેશ્વર મહાતીર્થ (૭) મુખ્ય મંદિર તથા ધર્મશાળાનું ભવ્ય પ્રવેશદ્વાર આવે છે. પ્રવેશદ્વારની સામે
શ્રી ભદ્રેશ્વર મહાતીર્થનું ભવ્ય મંદિર આવેલું છે. મુખ્ય જિનાલયનું ત્રણ દ્વારા તથા કમાનવાળું પ્રવેશદ્વાર ખૂબ સુંદર છે. આ તીર્થનું શિલ્પ બીજા તીર્થો કરતાં જુદા પ્રકારનું છે. અઢી લાખ ચોરસ ફૂટ જેટલા વિશાળ ચોગાનમાં આ તીર્થ આવેલું છે. જિનાલયની ઊંચાઈ ૩૮ ફૂટ, લંબાઈ-૧૫૦ ફૂટ, પહોળાઈ ૮૦ ફૂટ છે. શિલ્પસ્થાપત્ય એવા પ્રકારનું છે કે પ્રવેશદ્વાર થી જ પ્રભુજીનાં દર્શન થાય છે. પર (બાવન) જિનાલય છે.
દેરાસરમાં પ્રવેશદ્વારની બન્ને બાજુએ શ્રી મહાવીર સ્વામી ભગવાનનાં જીવનનાં પ્રસંગો ચીતરેલાં છે તથા પૂજા મંડપમાં તીર્થોના પટો ચીતરેલાં છે. જિનાલયમાં ર૧૮ સ્થંભો છે. ૧૪૬ પ્રભુ પ્રતિમાઓ છે. ગણધર શ્રી સુધર્માસ્વામી, શ્રી વાઘેશ્વરી દેવી, શ્રી ચક્રેશ્વરી દેવી, શ્રી મહાકાલી દેવી, શ્રી ઋષિકેશદેવી, શ્રી સરસ્વતી દેવીની મૂર્તિઓ છે તથા શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ.સા.ની પાદુકાઓ
મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનની શ્વેતવર્ણ ૬૧ સે.મી. ની ભવ્ય મૂર્તિ છે તથા દેરાસરની પાછળની ભમતીમાં દેરી નં. ૨૫ માં જૂના મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનની બે કાઉસગિયા સાથેની ભવ્ય મૂર્તિ છે.
મૂળનાયકનારંગમંડપમાં શિલાલેખની ઉપર શ્રી મહાવીરસ્વામી ભગવાનના અધિષ્ઠાયકદેવશ્રીમાતંગયક્ષ તથા અધિષ્ઠાયિકાદેવી-શ્રી સિદ્ધિકાદેવીના ગોખલાં
પૂજા મંડપમાં દુર્ગાપુરના શ્રાવક શા આસુભાઈ વાઘજીએ સંવત ૧૯૦ થી સંવત ૧૯૭૫ જીવનના અંત સુધી ભાવના તથા નિષ્ઠાથી આ તીર્થની સાચવણીમાં પોતાની સેવા આપી હતી. તેની સ્મૃતિમાં તેમનું આરસનું પૂતળું (બસ્ટ) મૂળનાયક પ્રભુની સામસામ મૂકેલ છે.
મુખ્યમંદિર નલિની ગુલ્મ દેવવિમાન જેવું ભવ્ય છે. સવારે તથા બપોરે સ્નાત્ર-પૂજા તથા પૂજા ભણાવવાની સગવડ છે. રોજ રાત્રે ભાવના બેસે છે. ભોજક ખૂબ સુંદર ગાય છે.
વિશાળ સગવડતાવાળી ધર્મશાળા તથા બ્લોકો આવેલા છે. ઉપાશ્રય તથા ભોજનશાળાની સગવડ છે.
આ તીર્થનો વહીવટ શેઠ વર્ધમાન કલ્યાણજી ટ્રસ્ટ સંભાળે છે. શેઠ વર્ધમાન કલ્યાણજી ટ્રસ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org