________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
૧૪૨ હતા. આ લાડવા આબરૂદાર કુટુંબો માટે બનાવતા હતા કે જે લજ્જાના માર્યા માંગી શકતા ના હોય. જેથી લાડવાનું નામ લાપિંડ આપ્યું હતું. શેઠ જગડુશા વહેલી પરોઢે જાતે જઈને આબરૂદાર કુટુંબમાં વહેંચી આવતા.
આપણા જૈન શ્રેષ્ઠિઓ જો દાનવીર જગડુશા જેવા બને તો કોઈ પણ જૈન દુઃખી ના રહે, કોઈ પણ જૈન નોકરી વગરનો ના રહે.
શ્રી ભદ્રેશ્વર મહાતીર્થનો નવમો જીર્ણોધાર શેઠ જગડુશાએ સંવત ૧૩૧૨ માં કરાવ્યો હતો તથા ભદ્રાવતી નગરી ફરતો મોટો કિલ્લો કરાવ્યો હતો.
ભદ્રેશ્વર તીર્થમાં દાખલ થતાં પહેલાં શેઠ જગડુશાના વિશાળ ભવ્ય મહેલના ખંડેરો જોવામાં આવે છે. જ્યાં શેઠ જગડુશા પોતાના પરિવાર સાથે રહેતા હતા. મુખ્ય પ્રવેશદ્વાર - શ્રી ભદ્રેશ્વર તીર્થ (૧) શ્રી પાયચંદગચ્છનું ગુરુમંદિર
શ્રી પાર્શ્વચન્દ્રસૂરિજી ગુરુમંદિર' આવે છે. (૨) શ્રી ખરતરગચ્છનું ગુરુમંદિર
શ્રી જિનદત્તસૂરિશ્વરજી ગુરુમંદિર' આવે છે. જેમાં શ્રી જિનદત્તસૂરિશ્વરજી દાદાની ભવ્ય મૂર્તિ છે તથા તેમના જીવનના
પ્રસંગો ચીતરેલા છે. (૩) ભોજનશાળાની સુંદર સગવડ છે. જમ્યા પછી છાશ આપવામાં આવે છે. (૪) બસ સ્ટેન્ડ, ચા-નાસ્તાની કેન્ટીન વગેરે આવે છે.
શ્રી તપગચ્છનું ગુરુમંદિર
શ્રી જીતવિજયજી ગુરમંદિર' આવે છે જેમાં શ્રી જીતવિજયજી દાદાની મૂર્તિ છે. આ ગુરુમંદિરમાં કચ્છમાં જેઓની પ્રેરણા અને ઉપદેશથી અનેક જૂના મંદિરોના જિણોદ્ધાર થયા તથા નવા મંદિરો બન્યાં તે આચાર્ય ભગવંત શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. નો ફોટો છે. જન્મ : સંવત ૧૯૮૧ ફલોદી દીક્ષા: સંવત ૨૦૧૭ ફલોદી પંન્યાસપદવી સંવત ૨૦૨૫ ફલોદી
આચાર્ય પદવી સંવત ૨૦૨૯ શ્રી ભદ્રેશ્વર તીર્થ. (૬) બગીચો આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org