SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ શ્રી ભદ્રેશ્વર મહાતીર્થ વિજય - વિજયાના લગ્ન થયાં. લગ્નની પહેલી રાત્રીએ એકબીજાને એકબીજાના બ્રહ્મચર્યના વ્રતની ખબર પડી અને બન્નેએ જીવનપર્યત બ્રહ્મચર્ય પાળ્યું. આ બ્રહ્મચારી દંપતી વિજય શેઠ-વિજયા શેઠાણીએ ભદ્રેશ્વરની પ્રથમ પ્રતિષ્ઠા વખતે શ્રી કપિલકેવલી મુનિવર પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુકિત પામ્યા. શેઠ જગડુશા : ચૌદમી સદીની આ વાત છે. ભદ્રાવતી નગરીમાં શેઠ જગડુશા નામના ધનિક શ્રેષ્ઠિ રહેતા હતા. એક વાર ભદ્રાવતીમાં આચાર્ય ભગવંત પધાર્યા. તે ખૂબ જ્ઞાની હતા. શેઠ જગડુશા આચાર્ય ભગવંતને વંદન કરવા ઉપાશ્રયમાં ગયા. ગુરુ ભગવંત જ્ઞાનથી આ સાચા દાનવીરને પારખી ગયા. ગુરુ ભગવંતે જગડુશાને કહ્યું કે, હે શ્રાવક! જીવદયાનો ધર્મ મહાન છે. આગામી ત્રણ વર્ષ ભયંકર સમય આવી રહ્યો છે. સંવત ૧૩૧૩-૧૩૧૪-૧૩૧૫ માં ભયંકર દુષ્કાળ પડશે. ધાન્યનો એક કણ મોતી કરતાં મોંઘામૂલનો થશે. પેટની આગ ઠારવાં લોકો ઢોરઢાંખર તો ઠીક પણ પેટનાં જણ્યાને ય વેચશે. ઘાસનું તણખલું સોનામહોર કરતાં કીમતી ગણાશે. જો પાણી પહેલાં પાળ નહીં બંધાય તો ધરતી રસાતાળ જશે, નહીં બનવાનું બનશે. શેઠ જગડુશાએ ગુરની વાણી માથે ચઢાવી. દેશ-વિદેશમાં જ્યાંથી અનાજ મળે અને જે ભાવમાં મળે તે ભાવે ખરીદવા માંડ્યું. પાટણમાં ૭૦૦ભંડારો અનાજના ભર્યા. દરેક ભંડારમાં તામ્રપત્ર મૂકયું કે આ કોઠારનું અનાજ ગરીબ લોકોનું છે. આવી રીતે શેઠ જગડુશાએ દેશને દુકાળના કપરા સમયમાંથી બચાવી લીધો. શેઠ જગડુશા માનતા હતા કે જો માનવી માનવતાનો ધર્મ પાળે તો જગતમાં સ્વર્ગ ઊતરે. શેઠ જગડુશાની સાધર્મિક ભકિત * એક પલ્લામાં બધો ધર્મ મૂકવામાં આવે અને બીજા પલ્લામાં સાધર્મિક વાત્સલ્ય મૂકવામાં આવે તો બન્ને પલ્લાં સરખા થશે.” "મહારાજા કુમારપાળે સાધર્મિકોના ઉદ્ધાર માટે ચૌદ કરોડ રૂપિયા ખર્યા હતા.” * તેજપાળના પત્ની અનુપમાદેવીએ વસ્તુપાળને કહ્યું કે જ્યાં સુધી સાધર્મિકને અન્ન અને વસ્ત્રનું દાન ના આપીએ ત્યાં સુધી દાન અધૂરું છે.” વસ્તુપાળ રસોડું ખોલ્યું. તેમના રસોડે રોજના ૨૮૦૦ માણસો જમતા હતા.” શેઠ જગડુશા સાધર્મિક ભકિત કરવા રોજ સોનું રૂપું મૂકી લાડવા બનાવતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy