________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
૧૪૦ શ્રી ભદ્રેશ્વર મહાતીર્થ
કચ્છ પોતાની આગવી સંસ્કૃતિ ધરાવતી ભૂમિ છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં પ્રાચીન નગરી – ભદ્રેશ્વર આવેલી છે. આ નગરીનું જૂનું નામ ભદ્રાવતી હતું. આ નગરીમાં ભવ્ય ઇતિહાસ ધરાવતું દિવ્ય, મનોહર, વિશાળ, પરમપ્રભાવક શ્રી ભદ્રેશ્વર મહાતીર્થ આવેલું છે. આજથી ૨૪૯૯ વર્ષ પહેલાં અને વર્તમાન ચોવીસીનાં તીર્થકર શ્રી મહાવીર સ્વામી ભગવાનનાં નિર્વાણ પછી ૨૨ વર્ષે ભદ્રાવતી નગરીના તત્કાલીન રાજા સિદ્ધસેનની સહાનુભૂતિ અને સહાયથી ભદ્રાવતીના દેવચંદ શ્રાવકે આ ભૂમિ સંશોધન કરી, આ ભવ્યતીર્થનું શિલારોપણ કર્યું હતું. શ્રી મહાવીરસ્વામી ભગવાનના નિર્વાણ પછી ૪૫ વર્ષે પરમ પૂજ્ય શ્રી કપિલકેવલી મુનિવર પાસે મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી.
- ૨૫૦૦ વર્ષ પ્રાચીન આ તીર્થનું ગગનચુંબી શિખરવાળું નલિની ગુલ્મ દેવવિમાન જેવું ભવ્ય અનુપમ બાવન જિનાલય યાત્રાળુઓને મંત્રમુગ્ધ કરે છે. આ તીર્થનું શિલ્પ સ્થાપત્ય બીજાં તીથોકરતાં જુદા પ્રકારનું છે. શેઠ વર્ધમાન શાહે સંવત ૧૬૮૨ માં જીર્ણોદ્ધાર વખતે મૂળનાયક તરીકે શ્રી મહાવીર સ્વામી ભગવાનની શ્વેતવર્ણ ૬૧ સે.મી. ની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. જૂના મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનની દેરાસરના પાછળના ભાગમાં દેરી નં ૨૫ માં પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનની બાજુમાં બે કાઉસગિયા પ્રતિમાજીઓ છે. શ્રી વિશ્વ શેઠ - વિજયા શેઠાણી
ભદ્રાવતી નગરીમાં અરિહંત પરમાત્માના ઉપાસક શ્રી અર્હદાસ શ્રેષ્ઠિ રહેતા હતા. તેમના પત્ની અદાસી પણ ધર્મિષ્ઠ અને શ્રદ્ધાળુ હતા. તેમને વિજય નામનો દેવકુમાર જેવો એકનો એક પુત્ર હતો. તેને પણ બાલ્યકાળથી જ ધર્મપ્રત્યે સારી રુચિ હતી. તે સદા ધર્મશ્રવણ ને ગુરુમહારાજ પાસે ધાર્મિક અભ્યાસ કરતો. ધર્મદશનામાં શીલનું મહિમાવંતું માહાસ્ય જાણી વિજયકુમારે કિશોરાવસ્થામાં એવો નિયમ કર્યો હતો કે લગ્ન પછી શુકલ (અજવાળિયામાં – સુદ) પક્ષમાં બ્રહ્મચર્ય પાળવું.
ભદ્રાવતી નગરીમાં ધનાવહ નામના અતિ ધનાઢય ધર્મિષ્ઠ શેઠ રહેતા હતા. તેમને ધનશ્રી નામની સુંદર સોહામણી ધર્મપ્રિય પત્ની હતી. તેમને એકની એક વિજયા નામની ધર્મપ્રિય પુત્રી હતી. તેને પણ એવો નિયમ કર્યો હતો કે લગ્ન પછી કૃષ્ણપક્ષમાં (અંધારિયામાં – વદ) બ્રહ્મચર્ય પાળવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org