________________
શ્રી ભદ્રેશ્વર મહાતીર્થ (કચ્છ)
જે ભવસાગરથી તારે એ તીર્થ, જે દુઃખોના દરિયામાંથી પાર ઉતારે એ તીર્થ”
“તીર્થયાત્રા એ જીવનને સુધારવાની જડીબુટ્ટી છે. જીવનને ઉન્નત બનાવવાનો અદ્ભુત કીમિયો છે. જીવનને શુદ્ધ - નિર્મળ – પવિત્ર બનાવવાનો અનુપમ ઉપાય છે. તેથી જ સર્વ મહાપુરુષોએ તીર્થયાત્રાની અગત્યતા સ્વીકારી છે અને તેને ધાર્મિક પ્રવૃત્તિમાં અગત્યનું સ્થાન આપ્યું છે. પૂજ્ય આચાર્ય ભગવંતોનું તો સ્પષ્ટ ફરમાન છે કે શ્રદ્ધાસંપન્ન વિવેકશીલ ક્રિયાવિભૂષિત શ્રાવકોએ વર્ષમાં એક વાર તો નાના-મોટા કોઈ પણ તીર્થની યાત્રા અવશ્ય ભાવપૂર્વક કરવી જોઈએ.”
''તીર્થયાત્રા કરનારે દાન, શીલ, તપ અને ભાવનાનું યથાશકિત આરાધન કરી લેવું.”
તીરવાસાઃ શ્રી ભદ્રેશ્વર યાત્રા કરવા માટે રોડ માર્ગે શંખેશ્વર થઈ ભદ્રેશ્વર જવાય છે. અમદાવાદથી શંખેશ્વર ૧૨૦ કિલોમીટર અને શંખેશ્વરથી ભદ્રેશ્વર ૨૯૬ કિલોમીટર થાય છે, જેથી અમદાવાદથી ભદ્રેશ્વર -૪૧૬ કિલોમીટર થાય છે. પરંતુ અમદાવાદથી ટ્રેઈનમાં ગાંધીધામ ને ત્યાંથી ટેક્ષીમાં ભદ્રેશ્વર જવું ઘણું સુગમ પડે છે. પાછા વળતાં પણ ગાંધીધામથી ટ્રેઈનમાં અમદાવાદ-મુંબઈ જવું સુગમ પડે છે.
અમદાવાદથી ગાંધીધામ રેલવે માર્ગે ૩૦૧ કિલોમીટર થાય છે. રાત્રે ટ્રેઈનમાં જવાથી સવારે ગાંધીધામ પહોંચાય છે. ગાંધીધામ પહોંચી તરત જ વળતાની રેલવેની ટિકિટ બુક કરાવી લેવી. ચાર દિવસમાં કચ્છની નાની મોટી પંચતીર્થી ટેક્ષીમાં સારી રીતે થઈ શકે છે. ગાંધીધામ ઊતરીને ભદ્રેશ્વર ટેક્ષીમાં જતા રહેવું. એસ.ટી.માં પણ જઈ શકાય છે. સ્ટેશન પાસે એસ.ટી. બસ સ્ટેશન છે ત્યાંથી તમામ બસો પણ ઊપડે છે.
ગાંધીધામથી આદિપુર થઈ ભદ્રેશ્વર જવાય છે. ગાંધીધામથી આદિપુર ૮ કિલોમીટર અને આદિપુરથી ભદ્રેશ્વર-૨૭ કિલોમીટર છે. જેથી ગાંધીધામથી ભદ્રેશ્વર-૩૫ કિલોમીટર થાય છે. ગાંધીધામથી ટેક્ષીઓ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org