________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
૧૩૦ ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી તો પ્રતિજ્ઞા કરીને શંખેશ્વર આવ્યા હતા કે દર્શન કર્યા પછી જ ભોજન-પાણી વાપરીશ. સંઘમાં આવનાર સ્ત્રી-પુરુષોએ પણ ગુરુ ભગવંતની માફક પ્રતિજ્ઞા કરી હતી. ઠાકોરને સમજાવ્યો છતાં ઠાકોરે દરવાજો ન ખોલ્યો. ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજીએ સંઘના સ્ત્રી-પુરુષોને કહ્યું :
''ભાગ્યશાળીઓ, આપણે શ્રી શંખેશ્વર પ્રભુનાં દર્શન કરીને જ અન્ન-પાણી ગ્રહણ કરીશું. આપણે સહુ ભકિતથી ભગવાનને પ્રાર્થના કરીએ. પ્રભુ આપણને જરૂરથી દર્શન દેશે જ.” ,
બંધ દરવાજાની સામે પૂજ્ય ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી ઊભા રહી ગયા. તેમની પાછળ સંઘના સેંકડો ભાઈ-બહેનો દરવાજા પર મીટ માંડી ઊભા રહ્યાં. શ્રી ઉદયરત્નજીએ રાતિ શરૂ કરી
પાસ શંખેશ્વર ! સાર કર સેવકા,
દેવકાં, એવડી વાર લાગે ! ક્રોડી કર જોડી દરબાર આગે ખડા ,
ઠાકુરાં ચાકુરાં માન માગે ! પ્રગટયા પાસજી ! મેલી પડદો પરો
મોડ અસુરાણને આપ છોડો મુજ મહીયણ મંજૂસમાં પેસીને
ખલકના નાથજી! બંધ ખોલો ! સ્તુતિ પ્રાર્થનાથી પ્રભુના અધિષ્ઠાયક શ્રી નાગરાજ દેવ પ્રસન્ન થયા. દરવાજા ખૂલી ગયા. શ્રી સંઘે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના ખૂબ આનંદથી દર્શન -પૂજન કર્યા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના નાદથી ગામને ગજવી દીધું.
આ ચમત્કારથી ગામનો ઠાકોર જાગૃત થયો. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ શ્રી સંઘને સોંપી અને ઠાકોર પોતે ભગવાનનો ભકત અને ઉપાસક બની ગયો. સંઘે પણ નવું દેરાસર બનાવી વિ. સંવત ૧૭૬૦ માં પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. (૭) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું વર્તમાન મંદિર શિખરાવલીઓથી શોભતું
ને મંદ મંદ પવન લહેરીઓમાં વાગતી ઘંટડીઓના રણકારથી ગુંજિત મહાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org