SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ શ્રી શંખેશ્વર મહાતીર્થ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું મંદિર જૈનોનું પુરાણું અને સૌરાષ્ટ્રમાં આવેલ સુવિખ્યાત પાલીતાણા તીર્થધામ પછી બીજા નંબરનું જૈન તીર્થધામ છે. અહીં દર વર્ષે હજારો અને લાખોની સંખ્યામાં ધર્મપ્રેમી જાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ભારતમાં પ્રાચીન મૂર્તિ છે. ગત ચોવીસીમાં ચોવીશ તીર્થકરો થઈ ગયા. તેમાં નવમા તીર્થકર શ્રી દામોદરસ્વામી થયા. એક દિવસની વાત છે. ભગવંત દામોદરસ્વામી પાસે એક શ્રાવક આવે છે. તેનું નામ છે - અષાઢી. એ ભીષણ ભવ વનમાં અકળાયેલો ધનાઢય ગૃહસ્થ હતો. તેના મનમાં દીર્ઘકાળથી એક પ્રશ્ન ઘોળાય છે? મારું નિર્વાણ ક્યારે થશે? આ ભવનાં બંધનોથી હું કયારે મુકત થઇશ? તેણે ભગવંતને પૂછ્યું, 'હે ત્રિભુવન પતિ' મારો મોક્ષ કયારે થશે? કૃપા કરીને મારા મનની અશાંતિ દૂર કરો. કરુણાસાગર ભગવંતે કહ્યું, 'વત્સ! આગામી અવસર્પિણી કાળમાં ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ થશે. તમે તેમના આર્યધોષ' નામના ગણધર બનીને એ જ ભવમાં મોક્ષે જશો. અષાઢી શ્રાવક ઘેર આવ્યો. તેના મનમાં ભાવિ પાર્શ્વનાથ ભગવાનનું નામ ગૂંજી રહ્યું. એ પ્રભુનો મારા ઉપર અનંત ઉપકાર વરસશે. એમનો હું ગણધર બનીશ અને મોક્ષ પામીશ.વિચારે છે કે મારે આ ભવથી જ એમની આરાધના શરૂ કરી દેવી જોઈએ. ભાવિ ઉપકારી તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું નામસ્મરણ અને તેમની મૂર્તિનું પૂજન -આ બે ઉપાય તેણે વિચાર્યા. તેણે શ્રી પાર્શ્વનાથ ભગવાનની મનોહર મૂર્તિનું સર્જન કર્યું અને નિયમિત તેના પૂજનમાં એકાગ્ર બન્યો. પરમાત્માની મૂર્તિ સાથે અષાઢી શ્રાવકને અપૂર્વ પ્રીતિ થઈ. મૃત્યુ થયા પછી અષાઢી શ્રાવકનો આત્મા દેવલોકમાં ગયો. ત્યાં પણ તેને પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિની સ્મૃતિ થઈ આવી અને તે પ્રતિમાને દેવલોકમાં લઈ આવ્યો. આ મૂર્તિ ત્યાર બાદદેવલોકમાં, પાતાળમાં તથા પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ પૂજાઈ. આજથી આશરે ૮૭ હજાર વર્ષ પૂર્વે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો. શ્રી અરિષ્ટનેમિ (બાવીસમા તીર્થકર) શ્રી કૃષ્ણ ભગવાનના કાકાના દીકરા ભાઈ થતા હતા. શ્રી કૃષ્ણને જરાસંઘ સાથે યુદ્ધ અનિવાર્ય બની ગયું, જરાસંઘ એ કાળે અજોડ વિશ્વવિજેતા સમ્રાટ હતો. યુદ્ધ જાહેર થયું. દ્વારિકાના ઇશાન ખૂણામાં વંઢિયાર દેશમાં સરસ્વતી નદીનો લાંબો કિનારો યુદ્ધક્ષેત્ર બની ગયો. ઘોર સંગ્રામમાં બિહામણો સંહાર થવા લાગ્યો. જરાસંઘે શ્રી કૃષ્ણના સૈન્ય પર જરા વિદ્યાનો પ્રયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy