________________
૧ ૨૬
ભારતનાં મુખ્ય જૈન તીર્થો હજાર ચો. ફૂટમાં મંદિરોની નગરી ખડી થઈ રહી છે.
શ્રી જયતળેટી, બાબુનું દેરાસર શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર, દાદાની ટૂક, નવટૂકો શ્રી ઘેટીની પાગ, તળાટી વગેરે નિર્માણ થઈ રહ્યું છે. ૧૫૦ પૂજનિક પ્રતિમાજીઓ પધરાવવામાં આવશે. શ્રી સરખેજ તીર્થ
અમદાવાદથી આઠ કિલોમીટર દૂર આવેલું છે. નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈએ સંવત ૧૯૧૧ આ દેરાસરનું નિર્માણ કરી મૂળનાયક તરીકે શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનને બિરાજમાન કર્યા હતા. શાસનપ્રભાવક શ્રી પદ્માવતીદેવી તથા શ્રી ચકેશ્વરીદેવીની ભવ્ય પ્રતિમા બિરાજમાન છે. ઉપાશ્રય, ધર્મશાળા તથા પાઠશાળા છે. બેસતા મહિને તથા પૂનમે ભાતું અપાય છે. શ્રી કાસીન્દ્રા તીર્થ
સરખેજથી આગળ વધતાં આ તીર્થ આવે છે. જેમાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન છે. ધર્મશાળા, ઉપાશ્રય તથા ભાતું આપવાની સગવડ છે. શ્રી ધંધુકા તીર્થ
એસ.ટી. સ્ટેન્ડની બાજુમાં આવેલ છે. દેરાસરમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન છે. દેરાસર, ધર્મશાળા, ઉપાશ્રયની સગવડ છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યનો જન્મ ધંધુકામાં થયો હતો. દેરાસરની સામે ગુરુમંદિર બનેલ છે.
. શ્રી શંખેશ્વર મહાતીર્થ
''શ્રી શંખેશ્વર પાસજી, સુરતરુ સમ અવદાત, પુરિસાદાણી પાસજી, પદર્શન વિખ્યાત; પંચમે આરે પ્રાણીયા, સમરે ઊઠી સવાર,
વાંચ્છિત પૂરે દુઃખ હરે, વંદુ વાર હજાર.”
જે તારે એ તીર્થ અથવા જેનાથી તરીને સામે કિનારે પહોંચાય તે તીર્થ. દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણે તીર્થ છે. એ ત્રણેની ભકિત કરવી જોઈએ.
અમદાવાદથી આશરે ૧૨૧ કિલોમીટર દૂર ઉત્તર ગુજરાતમાં આવેલું શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org