SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૧૨૮ અજમાવ્યો. શ્રી કૃષ્ણનું સૈન્ય યુદ્ધભૂમિ પર હતવીર્ય બનીને ઘસઘસાટ ઊંઘવા માંડયું. શ્રી કૃષ્ણ મૂંઝાયા. શ્રી અરિષ્ટનેમિએ શ્રીકૃષ્ણને કીધું કે બંધુ! મૂંઝાશો નહિ. જરા વિદ્યાને નષ્ટ કરવાનો ઉપાય છે. શ્રી પદ્માવતીદેવીની આરાધના બંધુ ! અક્ઠમ તપ કરી ગુપ્ત સ્થાનમાં બેસી જાઓ. પદ્માવતીદેવીની આરાધના કરો. અહૂઠમ તપના પ્રભાવથી પદ્માવતીદેવી તમારી પાસે આવશે. તેમની પાસે તમે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા માંગજો. ગત ચોવીશીમાં શ્રી દામોદારસ્વામીના સમયમાં અષાઢી શ્રાવકે તે મૂર્તિ ભરાવેલી છે. એ મૂર્તિ હાલ પદ્માવતીદેવી પાસે છે. દેવી રોજ તેનું પૂજન કરે છે. એ મૂર્તિ પદ્માવતીદેવી તમને લાવીને આપે પછી તેને સ્નાન કરાવવાનું (પક્ષાલ કરવાનો) અને તે સ્નાન જળને સૈન્ય પર છાંટવાનું, જરા વિદ્યા મહાન પવિત્ર સ્નાન જળથી ભાગી જશે. સૈન્ય ખડું થઈ જશે. જરાસંઘનો પરાજય થશે અને તમને વિજયી બનશો. શ્રી કૃષ્ણ અઠમ તપની શ્રી અરિષ્ટનેમિના સૂચન મુજબ આરાધના કરી. શ્રી કૃષ્ણ અડૂઠમ તપની આરાધના કરી તે દરમ્યાન યુદ્ધનો મોરચો શ્રી અરિષ્ટનેમિએ સંભાળી લીધો. ત્રણ દિવસ સુધી રથમાં બેસી શ્રી અરિષ્ટનેમિએ સૈન્યની રક્ષા કરી. શત્રુસૈન્યમાં કોઈનો વધ ના થાય તે રીતે તેમણે યુદ્ધ કર્યું. શ્રી પદ્માવતીદેવી પ્રસન્ન થયા. શ્રી કૃષ્ણને શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ આપી. મૂર્તિનો સ્નાત્ર મહોત્સવ કર્યો. સ્નાત્રજળ સૈન્ય પર છાંટયું, સૈન્ય નવી સ્કૂર્તિ સાથે જાગ્રત થયું. જરાસંઘ ધ્રૂજી ઊઠયો. યુદ્ધમાં જરાસંઘ મરાયો અને શ્રી કૃષ્ણની જીત થઈ. શ્રી કૃષ્ણ વિજયના હર્ષમાં શંખનાદ કર્યો. જ્યાં શંખનાદ કર્યો ત્યાં જ શંખપુર નગર વસાવ્યું. ભવ્ય જિનપ્રાસાદનિર્માણ કર્યું. અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય ચમત્કારિક પ્રાચીન મૂર્તિ બિરાજિત કરી. શ્રી કૃષ્ણ જે શંખપુરનગર વસાવ્યું તે આજનું શંખેશ્વર અને જે પ્રતિમા બિરાજિત કર્યા તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન. - ત્યાર બાદ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન અમુક સમય જમીનના પેટાળમાં અને અમુક સમય જિનમંદિરમાં બિરાજિત રહ્યા. શ્રી શંખેશ્વર મહાતીર્થનો ઐતિહાસિક કાળ (૧) સંવત ૧૧૫૫માં મહામંત્રી સજ્જન શાહે શંખેશ્વરમાં મંદિર બંધાવ્યું. જે ગામથી દૂર રૂપેણ નદીના કિનારે આવેલ હતું. પ્રાચીન મંદિરના અવશેષો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy