________________
૧૨૩
શ્રી મોડાસર તીર્થ (૫) પાંચમા મહાધરપ્રાસાદમાં ૨૫ ઈચના શ્રી મહાવીર સ્વામી ભગવાન છે. (૬) છઠ્ઠા મહાધરપ્રાસાદમાં ૩૧ ઈચના શ્રી ગૌતમસ્વામી, ૨૫ ઈચના શ્રી સુધર્માસ્વામી તથા ૨૫ ઇચના કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય છે.
શ્રી સાવત્થીતીર્થમાં પેસતાં ડાબા હાથપરમતપસ્વી સાધ્વી શ્રી પ્રશમપ્રભાશ્રીજી (પૂજ્ય બા મહારાજ) નું સમાધિમંદિર છે.
દેરાસરોમાં તમામ મૂળનાયક ભગવાનો પરિકરયુકત છે. પરિકરયુકત મૂળનાયક ભગવાનો બહુ ઓછા તીર્થમાં છે.
વર્તમાન જીવીશીના ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન આ ૪ કલ્યાણકો શ્રી શ્રાવસ્તી તીર્થ (ઉત્તર પ્રદેશમાં) થયા હતા, જેના નામ ઉપરથી આ સ્થાપના તીર્થ બનેલ છે.
પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય જિનચન્દ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્ય મુનિપ્રવર શ્રી શરદચન્દ્રવિજયજી મ.સા. ની પ્રેરણાથી આ ભવ્ય તીર્થ બનેલ છે. લાખો ભકતોની હાજરીમાં તથા ધામધૂમપૂર્વક અને ઉલ્લાસથી સંવત ૨૦૪૬ તથા સંવત ૨૦૪૮ના મહા સુદ ૧૧ ના રોજ આ તીર્થની પ્રતિષ્ઠા થઈ હતી.
ભવ્ય ધર્મશાળા, ઉપાશ્રય તથા ભોજનશાળા બનેલ છે. ભોજનશાળા ટ્રક સમયમાં ચાલુ થશે. પાલીતાણા જતાં આવતાં યાત્રાળુઓ અહીં દર્શન કરવા પધારે
શ્રી મોડાસર તીર્થ
અમદાવાદથી બાવળા ૩૫ કિલોમીટર દૂર છે, ત્યાંથી બાવળા-સાણંદ રોડ ઉપર બાવળાથી ૬ કિલોમીટર દૂર શ્રી મોડાસર તીર્થ આવેલ છે. સાણંદથી ૧૧ કિલોમીટર દૂર શ્રી મોડાસર તીર્થ આવેલ છે.
મોડાસર ગામમાં શ્રી રામુભાઈ જેઠાભાઈના ખેતરમાં ખોદકામ કરતાં સંવત ૨૦૩૮ જેઠ વદ-૬ રવિવાર તા. ૧૩-૬-૮૨ ના રોજ પ્રાચીન ૯ પ્રતિમાજીઓ નીકળ્યા હતા. મુસલમાન યુગમાં ખંડિત થવાની બીકે આ ૯ પ્રતિમાજીઓ જમીનમાં એવી રીતે ભંડાર્યા હતા કે મૂર્તિને બિલકુલ નુકસાન ના થાય.
મોડાસર ગામના વતનીઓને એવી ભાવના થઈ કે આ પ્રતિમાજીઓ આપણે કોઈ તીર્થમાં ના આપવા પણ મોડાસર ગામમાં જ તીર્થ બનાવી પધરાવવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org