________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
૧૨૨
હિમાલયનો જ ભાગ હોવો જોઈએ. પંજાબમાંથી પ્રગટ થતાં "પંજાબકેસરી" ના તા. ૩-૮-’૮૨ના પત્રના લેખને આધારે અન્ય ધર્મો જેને કૈલાસ – માનસરોવર કહે છે તે જૈનોનું અષ્ટાપદ તીર્થધામ હોવું જોઈએ. પત્રકારે કૈલાસ પર્વતની રૂબરૂ મુલાકાત લઈ લેખ લખ્યો છે. સને ૧૯૬૧ સુધી યાત્રિકો ત્યાં જતા હતા. ત્યાર બાદ પરમિટ-પ્રથા આવવાથી જવાનું બંધ થયું. ત્યાં હાલ કોઈ મંદિર નથી. કૈલાસ-અષ્ટાપદ ચારે કોર ઊંચા ઊંચા પહાડો તથા નદીઓથી છવાયેલો છે. ત્યાં હાલ કોઈ દેરાસર કે મંદિર નથી, જેથી યાત્રાળુઓ કોઈ જતાં નથી, માર્ગ પણ કઠિન છે.
શ્રી સાવત્થી તીર્થ - બાવળા
અમદાવાદથી પાલીતાણા જતાં હાઈવે રોડ ઉપર બાવળા ગામથી ૪ કિલો મીટર દૂર આ ભવ્ય તીર્થ આવેલ છે. અમદાવાદથી ૩૯ કિલોમીટર દૂર આ તીર્થ આવેલું છે. બાવળા ગામના ભરવાડ શેઠશ્રી છગનભાઈ રણછોડભાઈ તથા શેઠશ્રી ગોકળભાઈ રણછોડભાઈ પરિવારે શ્રી સાવથી તીર્થ બનાવવા પોતાની ૧૮ એકર જમીન તીર્થને અર્પણ કરી મહાપુણ્ય ઉપાર્જન કર્યુ છે.
૧૮ એકર જમીન ઉપર બનેલ આ મંદિર ૨૦૦ ફૂટ લાંબું, ૨૦૦ ફૂટ પહોળું, ૧૦૮ ફૂટ ઊંચું, ૧૧૧૧ થાંભલાવાળું, ૮૪ જિનાલયોવાળું શ્રી રાણકપુર તીર્થની યાદ અપાવે તેવું ભવ્ય તીર્થ બનશે.
મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનનું મુખ્ય જિનાલય કે જેનો ગભારો ૨૧×૨૧ ફૂટ લાંબો-પહોળો છે. આવો મોટો ગભારો બીજા કોઈ તીર્થમાં નથી. જેમાં વર્તમાન ચોવીશીના ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ ભગવાનની ૫૧" ઇંચ ઊંચી પરિકરવાળી ભવ્ય પ્રતિમાજી છે. ૬ મહાધર પ્રાસાદો બન્યા છે.
(૧) પહેલાં મહાધરપ્રાસાદમાં શાસન અધિષ્ઠાયિકા શ્રી પદ્મમાવતી માતાની
#
૫૧ ઈંચના પ્રભાવિક પ્રતિમાજી છે તથા ૪૧" ઇંચના શ્રી અંબા માતાજી તથા ૪૧” ઈંચના શ્રી મહાલક્ષ્મી માતાજી છે.
(૨) બીજા મહાધરપ્રાસાદમાં ૨૫ ઈંચના શ્રી શાંતિનાથ ભગવાન છે.
(૩) ત્રીજા મહાધરપ્રાસાદમાં ૨૫ ઈંચના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન છે. (૪) ચોથા મહાધરપ્રાસાદમાં ૨૫ ઈંચના શ્રી આદીશ્વર ભગવાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org