________________
શ્રી તાલધ્વજગિરિ (તળાજા)
( iii ===) JUN
સિતાચળની પંચતીર્થી (૧. તળાજા, ૨. મહુવા, ૩. દાઠા, ૪. ભાવનગર, ૫. ઘોઘા)
પાલીતાણાથી ૩૮ કિલોમીટર અંતરે તળાજા નામના ગામમાં ટેકરી પર આ તીર્થ આવેલું છે. આ તીર્થને શેત્રુંજય ગિરિરાજની એક ટ્રક તરીકે માનવામાં આવે છે તથા આ તીર્થને શ્રી શેત્રુંજયની પંચતીર્થીના એક તીર્થસ્થળ તરીકે ગણવામાં આવે છે. પર્વતની ઊંચાઈ ૩૨૦ ફૂટ છે. ગિરિરાજ પર ચઢવા માટે પાકાં પગથિયાં બાંધેલાં છે. ચઢાવ સરળ અને અર્ધા કિલોમીટર જેટલો છે. ધર્મશાળાથી ગિરિરાજનું ચઢાણ 500 મીટરનું છે. તળાજામાં થઈને ભારતની સૌથી નાની નેરોગેજ ટ્રેઇન મહુવા જાય છે!
આ તીર્થ અતિ પ્રાચીન મનાય છે. શ્રી ઋષભદેવ ભગવાનના જયેષ્ઠ પુત્ર શ્રી ભરત ચક્રવર્તી અહીંયાત્રા કરવા પધાર્યા હતા અને અહીં એક સુંદર મંદિર બંધાવ્યું હતું.
ઇ.સ. ૬૪૦માં ચીની યાત્રિક હ્યુ-એન-સંગે પણ પોતાની નોંધપોથીમાં આ તીર્થનું વર્ણન લખેલું છે. ૧૨મી સદીમાં મહારાજા કુમારપાળે મંદિર બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે તથા શ્રી વસ્તુપાળ-તેજપાળે ૧૩મી સદીમાં શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર બંધાવ્યાનો પણ ઉલ્લેખ મળે છે. અહીં છેલ્લો ઉદ્ધાર સંવત ૧૮૭૨માં વૈશાખ સુદ ૧૩ ના દિવસે કરવામાં આવ્યો હતો.
ગુફાઓ : ગિરિરાજ પર પાછળના ભાગમાં એભલ-મંડપ તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org