________________
૧૧૫
શ્રી હસ્તાગિરિ તીર્થ આ પહાડ હસ્તિસેન-ગિરિ' તરીકે ઓળખાય છે. ઉપર ઊંચે એક દેરી છે, જેમાં શ્રી ઋષભદેવ ભગવાનનાં પગલાં છે. આ સ્થાન ઘણું પ્રાચીન અને પવિત્ર છે.
પરમ પૂજ્ય આચાર્યદેવ વિજય શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા શ્રી માનતુંગસૂરીશ્વરજી મ.સા. ના ઉપદેશ તથા પ્રેરણાથી અષ્ટકોણાકૃતિ, ૭૨ દેવકુલિકાયુકત, ચતુર્મુખ ભવ્ય જિનાલયવાળું ત્રણ ગઢવાળું સમવસરણ જેવું સુંદર તીર્થ ૧૦, ૨૪૦૦ચો. ફૂટવિસ્તારમાં નિર્માણ થઈ રહ્યું છે. અહીંયા ભગવાનના પાંચે કલ્યાણકોના સુંદર જિનમંદિરો નિર્માણ થયાં છે. તળેટીએ ચ્યવન કલ્યાણકનું, ટેકરીની વચ્ચે જન્મ-દીક્ષા કલ્યાણકનું, ઉપર કેવળશાનું કલ્યાણકનું, મૂળદેરી-નિર્વાણ કલ્યાણકનું મંદિર તરીકે નિર્માણ થયું છે. મંદિરના નિર્માણમાં મૂળ પાટણના વતની અને હાલમાં મુંબઈવાળા શ્રી કાંતિભાઈ મણિલાલ ઝવેરીએ ભાવ-ભકિતપૂર્વક ઊંડો રસ-પરિશ્રમ લીધો છે, જે ધન્યવાદને પાત્ર છે. ૭૨ વર્ષની ઉમરે શ્રી કાંતિભાઈનું તા. ૨૨-૪-૯૫ના રોજ અવસાન થયું. તેમના અગ્નિસંસ્કાર શ્રી હસ્તગિરિ તીર્થમાં કર્યા હતા. સ્થાપત્યની દષ્ટિએ આ સુંદર મંદિર છે. ૧૨૫ ફૂટ ઊંચા શિખરવાળા સંગેમરમરના મંદિરમાં ચૌમુખજીની પ્રતિષ્ઠા થઈ છે. હાલમાં સૌથી ઊંચા જૈન મંદિરનું સ્થાન ધરાવતા તારંગાના દેરાસર કરતાં પણ ઊંચું મંદિર થશે. આ મંદિરનો ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ સંવત : ૨૦૪પ વૈશાખ સુદ ૬ના રોજ થયો હતો.
જાલિયા ગામ (તળેટી) માં નૂતન જિનાલય, ધર્મશાળા, ભોજનશાળા, ઉપાશ્રય વગેરે બનેલ છે. હસ્તગિરિની ટોચેથી દાદાની ટૂક, કદંબગિરિ, શેત્રુજી નદીનાં દર્શન થાય છે.
શેરગંજી ડેમનું દેરાસર પાલીતાણાથી તળાજા જતાં શેત્રુંજી ડેમ આવે છે, જેની પાસે પૂજ્ય આચાર્યદેવ વિજયનંદનસૂરીશ્વરજી મ.સા. ઉપદેશથી વિશાળ જિનમંદિર નિર્માણ થયેલ છે, જેમાં મૂળનાયક શ્રી શત્રુંજય પાર્શ્વનાથની વિશાળ, શ્યામ, ભવ્ય મનોહર મૂર્તિ છે, આ દેરાસરની પ્રતિષ્ઠા સંવત : ૨૦૩૦ વૈશાખ સુદ ૧૦ ના રોજ થઈ છે. ધર્મશાળા, ભોજનશાળા, ઉપાશ્રય વગેરે આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org