SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચાતુર્માસની વિધિ Irillittitunni - -- -- - - શિયાળામાં તથા ઉનાળામાં કુલ આઠ મહિનામાં ગિરિરાજ ઉપર યાત્રા કરવા જવાય છે. ચોમાસાના ચાર મહિના એટલે અષાડ સુદ ૧પથી કારતક સુદ ૧૪ સુધી ગિરિરાજ ઉપર ચઢાતું નથી. પૂર્વાચાર્યોએ ઊંડા અભ્યાસ દ્વારા ચાતુર્માસમાં ગિરિરાજ ઉપર ન જવું તેવો નિર્ણય કરેલો છે અને વર્તમાનકાળમાં પણ તે રીતે થાય છે. શ્રી શત્રુંજય માહાભ્યમાં પણ ચોમાસામાં ગિરિરાજ ઉપર ન ચઢવું તેવો નિષેધ કરેલો છે. જેઓ ચોમાસામાં ગિરિરાજ ઉપર યાત્રા કરવા જાય છે તે તીર્થંકર પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ વર્તે છે. ચોમાસામાં યાત્રાળુઓ પાલીતાણામાં ચાતુર્માસ કરવા આવે છે. ચાર માસ પાલીતાણામાં સ્થિરતા કરે છે. (૧) પગે ચાલીને શ્રી જયતળેટી દર્શન કરવા જવું તથા ચૈત્યવંદન કરવું. તળેટીમાં આવેલ દેરાસરોમાં કુલ પાંચ ચૈત્યવંદન કરવા. (૨) આગમમંદિર યા તળેટીના દેરાસરમાં સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરવી. (૩) રોજ યથાશકિત તપ કરવું, ઓછામાં ઓછું બેસણું કરવું. (૪) સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું તથા દિવસના ત્રણ વાર દેવવંદન કરવું. (૫) રોજ વ્યાખ્યાન શ્રવણ કરવું, ગુરુવંદન કરવું. (૬) નવ સાથિયા, સિદ્ધાચલજીના નવ ખમાસમણાં તથા નવ લોગસ્સનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy