________________
૧૦૪
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
૧૦૮ ઘડા શેરડીના રસના અથવા સાકરના પાણીના પી, પારણું કરે છે. (રૂપાનો નાનો ઘડો પારણા માટે બનાવે છે.)
આ તપમાં બે દિવસ ભેગા ખાવાના ન આવવા જોઈએ, તેમ જ ચૌદશને દિવસે ખાધાવાર ન આવવો જોઈએ અને ત્રણ ચોમાસી ચૌદશ-પૂનમના છઠ કરવા જોઈએ. વળી તપ દરમ્યાન આવતી પ્રથમ અખાત્રીજના દિવસે ઉપવાસ કરવો જોઈએ. અને છેવટે છઠ્ઠઠથી ઓછે તપે પારણું ન કરવું જોઈએ. વિધિ (૧) સાત ક્ષેત્ર-જિનપડિમા, જિનમંદિર, જિનઆગમ, સાધુ, સાધ્વી, શ્રાવક,
શ્રાવિકા આ સાતે ક્ષેત્રમાં દ્રવ્ય વાપરવું. (૨) બે વખત પ્રતિક્રમણ કરવાં. (૩) સ્વ. દ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરવી. (૪) વિશેષ જ્ઞાનની પૂજા કરવી. (૫) ગુરુવંદન કરવું, વ્યાખ્યાન-શ્રવણ કરવું. (૬) ગુરુ પાસે પચ્ચખાણ રોજ લેવું અને વિધિપૂર્વક પાળવું.
અનુકંપાદાન દેવું, ભૂમિશયન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, સચિત્ત વસ્તુઓનો ત્યાગ કરવો અને ચૌદ નિયમો ધારવા.
શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કરવાં, આરંભ - સમારંભનો ત્યાગ કરવો. તપસ્યાનું ફળ ક્ષમા છે, એ પ્યાલમાં રાખી હંમેશાં સમતા કેળવવી. (૧) "શ્રી ઋષભસ્વામિને નમઃ” જાપની રોજ ૨૦ નવકારવાળી ગણવી. (૨) ૧૨ લોગસ્સનો દરરોજ કાઉસગ્ન કરવો.
૧૨ સાથિયા -૧૨ ખમાસમણાં દેવાં. અક્ષયતૃતીયાના દિવસે શેરડીના રસનો રૂપાનો ઘડો ભરી દેવઆગળ ધરવો, પછી પારણું કરવું. ઘણી જગ્યાએ અક્ષય તૃતીયાના દિવસે શેરડીના રસથી ભગવાનને પક્ષાલ થાય છે.
વૈશાખ સુદ ૩ ના દિવસે "શ્રી આદિનાથાય નમઃ” આ પદનો જાપ ૨000 વાર કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org