________________
૯૯
શ્રી શત્રુંજય તીર્થનો વહીવટ શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી હાલમાં નીચેનાં તીર્થોનો વહીવટ સંભાળે છેઃ
(૧) શ્રી શત્રુંજય (૨) શ્રી રાણકપુર (૩) શ્રી ગિરનાર (૪) શ્રી કુંભારિયાજી (૫) શ્રી તારંગા (૬) શ્રી મક્ષીજી (૭) શ્રી શેરિસા (૮) શ્રી મૂછાળા મહાવીર (૯) શ્રી ચિત્તોડગઢ ઉપરના જિનમંદિરો તે સિવાય અમદાવાદના ૮ દેરાસરોનો વહીવટ સંભાળે છેઃ (૧) શ્રી અજીતનાથ ભગવાનનું દેરાસર (૨) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર (૩) શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર (૪) શ્રી મહાવીરસ્વામી ભગવાનનું દેરાસર. આ ચારે દેરાસરો ઝવેરીવાડ, વાઘણપોળમાં આવેલ છે. (૫) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ-નવતાડ (૬) શ્રી અષ્ટાપદનું દેરાસર-ડોશીવાડાની પોળ (૭) શ્રી રામજીમંદિરની પોળમાંનું દેરાસર (૮) જમાલપુર પેઢીના બ્લોકવાળું દેરાસર.
શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનું વર્તમાન ટ્રસ્ટી મંડળ (વહીવટદાર પ્રતિનિધિઓ.)
૧. શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ – પ્રમુખ ૨. શેઠશ્રી મનુભાઈ લલ્લુભાઈ ૩. શેઠશ્રી ગૌરવભાઈ અનુભાઈ ૪. શેઠશ્રી ચારુચંદ્ર ભોગીલાલ. ૫. શેઠશ્રી હેમંતકુમાર ચીમનલાલ બ્રોકર ૬. વકીલ શ્રી અશોકભાઈ ચન્દ્રકાન્ત ગાંધી ૭. શેઠશ્રી સંવેગભાઈ અરવિંદ લાલભાઈ ૮. શેઠશ્રી સુધીરભાઈ ઉત્તમલાલ મહેતા ૯. શેઠશ્રી સનતકુમાર બકુભાઈ શાહ
હાલમાં પેઢીના પ્રમુખ શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ છે. જેઓશ્રી પેઢીના વહીવટમાં ઊંડો રસ ધરાવે છે. પોતાના સાથીઓના સહકારથી પેઢીનો વહીવટ સુંદર રીતે ચલાવે છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, તળેટી રોડ, પાલીતાણા-૩૬૪૨૭૦ તેનું કાર્યાલય છે. ટે.નં. ૨૧૪૮ છે. જ્યારે મુખ્ય કાર્યાલય અમદાવાદ-૧માં પટણીની ખડકી, ઝવેરીવાડ, રતનપોળમાં આવેલ છે, જેનો ટે.નં.પ૩પ૬૩૧૯, પ૩પ૭૦૦૩ છે. પેઢીના હાલના જનરલ મેનેજર શ્રી જે.કે. પંડ્યા છે. જ્યારે ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી રમેશ એમ. કામદાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org