SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ સંવત ૧૭૮૭માં શેઠ આણંદજી કલ્યાણજી પેઢીની અમદાવાદમાં સ્થાપના થઈ, સંવત ૧૮૦૫માં પાલીતાણામાં પેઢીની શાખા શરૂ થઈ. સંવત ૧૯૩૬માં પેઢીનું બંધારણ ઘડાયું. ભારતનાં મુખ્ય જૈન તીર્થો શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પ્રમુખો (૧) શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ સંવત ૧૯૩૬ સાત વર્ષ (૨) શેઠ મયાભાઈ પ્રેમાભાઈ સંવત ૧૯૪૩ પંદર વર્ષ (૩) શેઠ લાલભાઈ દલપતભાઈ સંવત ૧૯૫૮ નવ વર્ષ (૪) શેઠ ચીમનલાલ લાલભાઈ સંવત ૧૯૬૭ એક વર્ષ (૫) શેઠ કસ્તૂરભાઈ મણીભાઈ પ્રેમાભાઈ સંવત ૧૯૬૯ પંદર વર્ષ (૬) શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ સંવત ૧૯૮૪ અડતાલીસ વર્ષ (૭) શેઠ શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ સંવત ૨૦૩૨ થી (વર્તમાન પ્રમુખ) શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ પેઢીનું સુકાન ૪૮વર્ષ સુધી સંભાળ્યું. તેઓશ્રીના સમયમાં નીચેના તીર્થોના જીર્ણોદ્વારના તથા અન્ય તીર્થોના જીર્ણોદ્વારના અનેક કાર્યો થયા. (૧) શ્રી શત્રુંજય (૨) શ્રી રાણકપુર (૩) શ્રી દેલવાડા (૪) શ્રી કુંભારિયાજી (૫) શ્રી તારંગા (૬) શ્રી મૂછાળા મહાવીર (૭) શ્રી ગિરનાર (૨) શત્રુંજ્યના પાંચ પ્રવેશદ્વારોનું કલામય નવીનીકરણ. (૩) શત્રુંજય ગિરિરાજ ઉપર ચઢવા માટે નવાં પગથિયાં તથા ગિરનારનાં પગથિયાંનું સમારકામ. (૪) સમ્મેતશિખરજી તીર્થ અંગે સમાધાન. (૫) દાદાનું મુખ્ય દેરાસરનું શિલ્પ ઢંકાઈ ગયું હતું, તેના માટે નૂતન જિનાલય બનાવી પુરાણું શિલ્પ દેખાય તેવું દાદાનું મંદિર ભવ્ય બનાવ્યું. અને દાદાના દેરાસરની આજુબાજુ દેરીઓમાં આવેલા પ્રતિમાજીઓને નૂતન જિનાલયમાં પધરાવ્યા. (૬) ૠષભદેવ ભગવાનના બાર પૂર્વ ભવો તથા પાંચ કલ્યાણકોનાં ચિત્રો બનાવરાવી પાલીતાણા તળેટીમાં આવેલ મ્યુઝિયમમાં મૂકાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy