________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
૯૨ પોળનિવાસી શેઠ પૂજાલાલ નગીનદાસનાં ધર્મપત્ની ભૂરીબહેને હજારો રૂપિયા ખર્ચીને કરાવ્યો છે.
- ખોડિયાર માતાજીનું રાનક મોદીની ટૂકના કોટ બહાર વિશાળ ચોકમાં એક કુંડ આવેલો છે. તે કુંડની નીચાણના પગથિયાં પાસે ખોડિયાર માતાનું સ્થાનક છે. તેમાં માતાજીની મૂર્તિ તથા ત્રિશૂળો છે. શેઠના કુટુમ્બની એ કુળદેવી છે. શેઠ કુટુંબવાળાના વરઘોડિયાના છેડાછેડી અહીં છૂટે છે. પુત્રજન્મના કર પણ અહીં આવીને કરે છે. ચોમાસામાં કુંડ પાણીથી ભરાઈ જાય છે અને ર્માણી માતાની મૂર્તિના ચરણ પખાળે છે. છતાં ત્રિશૂળો સ્થાનમાં જ રહે છે. માતાજી ચમત્કારી ગણાય છે. માણેકબાઇની દેરી
મોદીની ટ્રકની નીચે ઊતરતાં એક નાની દેરી આવે છે, જેમાં શ્રી શાંતિનાથ ભગવાનનાં પ્રતિમાજી છે. આ દેરી માણેકબાઈની દેરી તરીકે ઓળખાય છે.
અદ્ભત શ્રી આદિનાથ
(દાદા અદબદજી) અહીં વિશાળ ખંડ છે અને આગળ ઢાંકેલો ચોક છે. ખંડમાં પહાડના પથ્થરમાંથી કોરેલી વિશાળકાય શ્રી આદીશ્વર ભગવંતની પ્રતિમા છે. તેની ઊંચાઈ ૧૮ ફૂટ છે, પહોળાઈ ૧૪ ફૂટ છે. વિશાળકાય પ્રતિમા હોવાથી અદૂભુત” શબ્દમાંથી 'અદબદ” થઈ ગયો, જેથી અદબદજી દાદા તરીકે ઓળખાય છે. આ મંદિર અને પ્રતિમાજી પ્રાચીન છે. તેનો ઉદ્ધાર ધર્મદાસ શેઠે સંવત ૧૬૮૬માં કરાવેલ છે.
| શિલાલેખ ઉપર અદ્ભુત આદિનાથ લખેલ છે. જૂની ચૈત્યપરિપાટીઓમાં સ્વયંભૂ આદિનાથ અને અભુત આદિનાથ એવાં નામો ઉપલબ્ધ છે. વિધિવિધાનથી મૂર્તિ પૂજનીય બનાવી છે. દર વર્ષે વૈશાખ વદ ૬ના દિવસે અદબદજી દાદાને પ્રક્ષાલ પૂજા અને નવે અંગે પૂજા થાય છે.
અત્રેથી દાદાની ટૂકના તથા ભાડવાના ડુંગરનાં દર્શન સરસ રીતે થાય છે. શ્રી બાલાવાસી
શ્રી બાલાભાઈની ટૂક (બાલાવસહી) બાલવસી' નામે ઓળખાય છે. આ ટ્રક ઘોઘા બંદરના શેઠ દીપચંદ કલ્યાણજીએ સંવત ૧૮૯૩ માં બંધાવી છે. દીપચંદ શેઠનું હુલામણું નામ બાલાભાઈ હતું. આ ટૂકમાં ૪ મોટાં દેરાસર, ૧૩નાની દેરીઓ, ર૭૦પાષાણનાં પ્રતિમાજી, ૪૫૮ પંચ ધાતુનાં પ્રતિમાજી છે. દીપચંદ શેઠે મુંબઈમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org