________________
શ્રી નવ ટ્રકો સંવત ૧૮૪૩માં બંધાવ્યું છે.
(૩) સક્સફણા પાર્શ્વનાથનું મંદિર-પ્રેમચંદ મોદીની ટૂકમાં પ્રવેશતાં ડાબા હાથે આ દેરાસર આવેલ છે, જે સૂરતવાળા શેઠ રતનચંદ ઝવેરચંદે બંધાવેલ છે. આ દેરાસરના રંગમંડપમાં બે ગોખલા છે. તેની કારીગરી વસ્તુપાલ – તેજપાલના આબુ ઉપર બંધાવેલા દહેરાસરમાં આવેલ દેરાણી-જેઠાણીના ગોખલાને યાદ કરાવે તેવી છે. ગભારામાં શેઠ-શેઠાણીની મૂર્તિ છે. આ બે ગોખલાઓ સાસુ વહુના ગોખલા'ના નામે ઓળખાય છે. આગળ થાંભલા ઉપર ત્રણ મનોહર તોરણો છે.
કળાકારે થાંભલા પર ત્રણ પૂતળીઓ કરી છે, તેમાં એકને સાપ વીંટાયો છે એકને વીંછી કરડે છે, એકને વાંદરો પકડે છે. - એટલે કે સાસુને સાપ, પાડોશણને વીંછી અને વહુને વાંદરો. વહુ બિચારી ભોળી છે. તેને કોઈ વાતની ખબર હોતી નથી. પણ સાસુ તેનો જ વાંક શોધે છે. એક વખત ખોટો વાંક શોધી કાઢયો. વહુ તો સાંભળીને શરમાઈ ગઈ. તેથી ખૂબ રડી. તેની આંતરડી કકળી ઊઠી. તેમાં વળી પડોશણે જૂઠી ટાપશી પૂરી. આથી વહુના વાંકમાં વધારો થયો. વહુ કૂવો પૂરવા આવી. તેણે દુઃખની આગથી બળતે મને હૃદયની આહનાંખી. આ વાત જાણે સાક્ષાત્ જોઈ હોય તેમ કળાકારે તે વાત પૂતળીઓમાં ઉતારી અને જગતને જણાવ્યું કે કજિયો કરવાથી આવી દશા થાય, માટે કુટુંબમાં કજિયો ન થાય તેવું સુંદર વર્તન રાખવું જોઈએ.
(૪) આ મંદિરની સામે બીજું સહસ્ત્રફણા પાર્શ્વનાથનું દેરાસર છે. તે સૂરતવાળા રતનચંદના ભાઈ પ્રેમચંદ ઝવેરચંદે બંધાવેલ છે. બન્ને મંદિરમાં મન ડોલાવે તેવી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાઓ છે. બન્ને મંદિરની ઉપર ચૌમુખજી મૂર્તિઓ આવેલ છે.
(૫) શ્રી અજિતનાથ ભગવાનનું દેરાસર- પાલનપુરવાળા મોદીએ બંધાવેલ છે.
* (૬) શ્રી ચંwભરવામીનું દેરાસર-મહુધાનાનીમા શ્રાવકોનું બંધાવેલ
(૭) શ્રી ચંદ્રપ્રભ સવામી નું બીજું દેરાસર - રાધનપુરવાળા શેઠ લાલચંદભાઈએ બંધાવેલ છે.
આ ટૂકને ફરતો કોટ છે. આ આખી ટૂકનો જીર્ણોદ્ધાર અમદાવાદ માંડવીની પોળ, નાગજી ભૂધરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org