________________
૮૯
નામે ઓળખાય છે. મંદિરની કળા ઉત્તમ છે.
શ્રી નંદીશ્વર દ્વીપની ટૂક યાને ઊજમ - વસહી
-
આ ટૂંક અમદાવાદવાળાં ઊજમબાઈ વખતચંદ શેઠે બંધાવી ને સંવત ૧૮૮૯, વૈશાખ વદ ૧૩ ને રોજ તેની પ્રતિષ્ઠા કરી હતી. આ ટૂકમાં ૨ દેરાસર, ૬ દેરીઓ તથા ૨૮૮ પાષાણનાં પ્રતિમાજી છે. સુપ્રસિદ્ધ તપાગચ્છાધિરાજ શ્રી મૂલચંદ્રજી મહારાજના ઉપદેશથી ઊજમબાઈએ અમદાવાદમાં વાઘણપોળમાંની પ્રસિદ્ધ ઊજમફઈની ધર્મશાળા અને ડોશીવાડાની પોળમાં અષ્ટાપદજીના મંદિરમાં નંદીશ્વર દ્વીપ બનાવ્યાં છે. આ ટૂકમાં સુંદર નકશીદાર પથ્થરની જાળીવાળા તથા રંગીન કાચવાળા મંદિરમાં સત્તાવન ચોમુખજીની રચના છે. સત્તાવન શિખરો જુદા જુદા નામથી ઓળખાય છે. રચના બહુ જ ભવ્ય, આકર્ષક અને મનોહર છે.
૧. શ્રી નંદીશ્વર દ્વીપનું મંદિર - સંવત ૧૮૮૯માં બંધાવ્યું છે.
૨. શ્રી કુંથુનાથનું મંદિર - સંવત ૧૮૪૩ માં શેઠ ડાહ્યાભાઈએ બંધાવ્યું છે. ૩. શાંતિનાથ ભગવાનનું મંદિર - શેઠાણી પરસનબાઈએ બંધાવ્યું છે. શ્રી હેમાવસહી
શ્રી નવ ટૂકો
શ્રી હેમાભાઈની ટૂંક - હીમવસી - શેઠ શ્રી શાંતિદાસ શેઠના વંશજ શેઠ શ્રી વખતચંદના પુત્ર શેઠ હીમાભાઈએ સંવત ૧૮૮૬ માહ સુદ ૫ને રોજ બંધાવી પ્રતિષ્ઠા કરી. આ ટૂકમાં ૪ મોટાં દેરાસરો, ૩૪ નાનીદેરીઓ, ૨૬૫ પાષાણના પ્રતિમાજીઓ છે. હીમાભાઈને વડીલો પાસેથી શત્રુંજય તીર્થનો વહીવટ સંભાળવાનો મળ્યો. તેમણે પોતાનો વ્યાપાર મુંબઈ, કલકત્તા, નવાનગર, રતલામ, વડોદરા, ભાવનગર, વઢવાણ, પાલીતાણા, ધોળકા, પાલનપુર, શિરોહી આદિ ઘણી જગ્યામાં વધાર્યો હતો. તે એવા બાહોશ ને બુદ્ધિશાળી હતા કે મોટાં રાજ્યો વચ્ચેના વિવાદોને દૂર કરી આપતા. બ્રિટિશ સત્તાના તે સલાહકાર હતા. તેમની પ્રતિષ્ઠા રાજા-મહારાજાઓમાં ઘણી સારી હતી. જ્યારે તે બહાર નીકળતા ત્યારે છડીદાર આગળ ચાલતો અને તેમને નગરશેઠનું કાયમનું બિરુદ મળ્યું હતું.
અમદાવાદમાં હીમાભાઈ ઇન્સ્ટિટયુટ, સંગ્રહસ્થાન, કન્યાશાળા, હોસ્પિટલ, વર્નાકયુલર સોસાયટી, કોલેજ વગેરેમાં તેમનું આગળ પડતું સ્થાન હતું.
શ્રી વિજયહીરસૂરીશ્વરજીની વિદ્વતા અને ચમત્કાર-શકિતની પ્રશંસા સાંભળી મોગલ બાદશાહ અકબરે જૈન તીર્થોનો ભોગવટો યાવત્ ચંદ્ર દિવાકરૌ’ (હંમેશને માટે) કરી આપ્યો. સૂરિજીએ અમદાવાદના સુપ્રસિદ્ધ નગરશેઠ શાંતિદાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org