________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
શ્રી છીપાવસહી છીપાવસહીની ટૂક શ્રી લખમીચંદ શિવચંદ ભંડારી, અમદાવાદવાળાએ બંધાવી તેની સંવત ૧૭૯૪માં અષાડસુદ ૧૦ના રોજ પ્રતિષ્ઠા કરી છે. ભમતીમાં ૨૪ ગોખલા છે. આ ટૂક ટોડરવિહાર' તરીકે પ્રખ્યાત છે.
૧. શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર છે. ૨. શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું મંદિર છે.
(૩) શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર - છ ગાઉની પ્રદક્ષિણા વખતે ચિલ્લણ તલાવડી પાસે શ્રી અજિતનાથ ભગવાન તથા શાંતિનાથ ભગવાનની દેરી આવે છે. તેના પ્રતીક તરીકે શ્રી નેમિનાથ ભગવાનના દેરાસર પાસે રાયણવૃક્ષ આગળની છ દેરીઓમાં છેલ્લી એક દેરીમાં શ્રી અજિતનાથ ભગવાન અને બીજી દેરીમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાઓ છે. કહેવાય છે કે બન્ને દેરીઓ ચિલ્લણ તળાવડી પાસે સામસામી હતી, જેથી ચૈત્યવંદન કરતાં પૂંઠ પડતી હતી. શ્રી નેમિનાથ ભગવાનના શિષ્ય યુગપ્રધાન શ્રી નંદિષેણસૂરિ મહારાજે અજિતશાન્તિ' સ્તવન બનાવ્યું, તે પૂર્ણ થતાં બન્ને દેરીઓ જોડાજોડ થઈ, જેથી આજે આ ચિલ્લણ તળાવડીવાળી બને દેરીઓ ચમત્કારિક દેરીઓ તરીકે ઓળખાય છે. તેના ઉપરથી આ બન્ને દેરીઓ બનાવી હોય તેમ લાગે છે. આ ટ્રકમાં મુખ્ય મંદિરની સામે સુપાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. છીપાવસહીની ટૂકમાં ૬ મોટાં દેરાસર, ૧૪ નાની દેરીઓ, ૪૮ પાષાણનાં પ્રતિમાજી છે.
શ્રી સાકર - વસહી શ્રી સાકર-વસહીની ટૂક અમદાવાદવાળા શેઠશ્રી સાકરચંદ પ્રેમચંદે બંધાવી, સંવત ૧૮૯૩ મહા સુદ ૧૦ને રોજ તેની પ્રતિષ્ઠા કરી હતી. આ ટૂકમાં ૨ મોટાં દેરાસર, ૩૫ નાની દેરીઓ, ૧૩પ૯ પાષાણનાં પ્રતિમાજી તથા ૧ પંચધાતુનાં પ્રતિમાજી આવેલ છે.
૧. મૂળ મંદિર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું છે, જેમાં મૂળનાયક ભગવાન પંચધાતુના છે.
- ૨. શેઠ લલુભાઈ જમનાદાસે સંવત ૧૮૯૩ માં બંધાવેલ શ્રી ચંદ્રપ્રભસ્વામીનું મંદિર છે.
૩. શેઠ મગનલાલ કરમચંદે બંધાવેલ શ્રી પદ્મપ્રભુસ્વામીનું મંદિર છે. આ ટૂક પાસે સંવત ૧૨૭૭ માં બંધાયેલ દેરાસર છે, જે મોલ્લાવસહી'ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org