________________
સવાસોમાં યાને ખરતર – વસહી
શ્રી ચૌમુખજીની ટૂંક
-
Tv
આગળ ચાલતાં શ્રી ચૌમુખજીની ટૂક આવે છે. ટૂંકમાં પ્રવેશતાં ચૌમુખજીનું મંદિર આવે છે. આ મંદિર સવાસોમજી એ ૪૮ લાખ રૂપિયાના ખર્ચે બંધાવેલ છે. ચૌમુખજીના મંદિરનું શિખર ૨૦-૨૫ માઈલ દૂરથી દેખાય છે.
આ ટૂકની લંબાઈ ૨૭૦૪૧૧૬ ફૂટની છે. ચોકની મધ્યમાં ચતુર્મુખ શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર છે. જેની લંબાઈ ૬ ફૂટ, પહોળાઈ ૫૭ ફૂટ અને શિખર ૯૬ ફૂટ ઊંચું છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ૧૦ ફૂટ ઊંચી ચાર મનોહર પ્રતિમાજી (ચૌમુખજી) છે. આગળ તેનો રંગમંડપ આવેલો છે. ત્રણ દિશામાં ચોકિયાળા છે. આ દેરાસરની પ્રતિષ્ઠા સંવત ૧૬૭૫ વૈશાખ સુદ ૧૩ ને રોજ થઈ હતી.
સાધર્મિક ભકિતનું આ અનુપમ ઉદાહરણ છે. વંથલીના સવચંદ શેઠ આર્થિક મુશ્કેલીમાં આવી ગયા. અમદાવાદના પ્રતિષ્ઠિત શેઠ સોમચંદ ઉપર મોટી રકમની હૂંડી લખી આપી. હૂંડી લખતાં લખતાં આંસુનાં બે ટીપાં હૂંડી ઉપર પડ્યાં. હંડી ગિરાસદારને આપી. ગિરાસદાર અમદાવાદ આવ્યો. સોમચંદ શેઠનું નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org