________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો પ્રતિષ્ઠા થઈ છે.
નીચે ઊતરી જમણા હાથ તરફ જતાં સહસ્ત્રફણા પાર્શ્વનાથનાં દર્શન થાય છે. અહીંથી ગંધારિયાના દેરાસરની બાજુમાંથી આગળ જવાય છે. અહીંથી ત્રીજી પ્રદક્ષિણા શરૂ થાય છે.
ત્રીજી પ્રદક્ષિણા
સામે પાંચ ભાઈઓના દેરાસરથી ત્રીજી પ્રદક્ષિણા શરૂ થાય છે. આ દેરાસર પાંચ ભાઈઓએ બંધાવી તેમાં પાંચ વિશાળ જિનબિંબોની સંવત ૧૬૭૭માં પ્રતિષ્ઠા કરવી હતી.
८०
અહીંથી પુંડરીકસ્વામીની બાજુનાં દેરાસરનાં દર્શન થાય છે. બાજુમાં બાજરિયાનું દેરાસર છે, જેની પ્રતિષ્ઠા સંવત ૧૬૧૫માં થઈ હતી. આગળ ચાલતાં દાગીના મૂકવાની તિજોરીનો રૂમ આવે છે. શ્રી નેમનાથ ભગવાનનાં દર્શન કરી આગળ વધાય છે.
રથ મૂકવાની ઓરડીની બાજુમાં આવેલ દેરાસરના દર્શન કરી આગળ વધતાં વીસ વિહરમાનનાં દેરાસરમાં જવાય છે. આ મંદિરમાં વીસ વિહરમાન ભગવાન છે. રંગમંડપમાં ૨૪ભગવાન છે. આ મંદિરની પ્રતિષ્ઠા સંવત ૧૫૮૭ ના વૈશાખ વદ ૫ને શનિવારે થઈ હતી.
ત્યાં દર્શન કરી, દેરીઓમાં દર્શન કરતાં આગળ વધતાં એક ઓરડામાં પ્રતિમાજી છે. અને બીજી દેરીઓમાં પણ પ્રતિમાજી છે, ત્યાં દર્શન કરવાં.
ગયા છે.
અષ્ટપદનું દેશસર - અષ્ટાપદના દેરાસરમાં ૨૪ તીર્થંકરોની પ્રતિમાઓ બિરાજમાન છે. પ્રવેશતાં સામે ધર્મનાથ ભગવાનની બે પ્રતિમાઓ છે. ગોખલાઓમાં બીજાં પ્રતિમાજીઓ બિરાજમાન છે. આ દેરાસરમાં ૬૯ પ્રતિમાજીઓ છે. દેરાસરમાં બે, દશ, આઠ ને ચાર એ પ્રમાણે ચારે દિશાએ પ્રતિમાજીઓ છે. વીણા વગાડતા રાવણની અને નૃત્ય કરતી મંદોદરીની મૂર્તિ આવેલી છે. લબ્ધિવંત ગૌતમસ્વામીની પ્રતિમા તથા પગથિયામાં તાપસોને પણ ચીતરેલા છે :
"અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણા ભંડાર,
તે
ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફલ દાતાર.”
ગૌતમસ્વામીના હાથે જેમણે દીક્ષા લીધી તે તમામ કેવળજ્ઞાન પામીને મોક્ષે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org