________________
શ્રી દાદાની ટૂક અષ્ટાપદના મંદિરમાં ૭૦૦ વર્ષ પહેલાંની સાધુ ભગવંતની મૂર્તિ છે. ડાંડો કેમ રાખવો, ચોળ પટ્ટો કેટલે સુધી પહેરાય, ઓઘો કેમ રખાય તથા મુહપત્તિ કયા હાથમાં રાખવી વગેરે સુંદર રીતે બતાવ્યું છે.
૮૧
અષ્ટાપદના દેરાસરથી રાયણવૃક્ષ સુધીમાં દેરી-૧૫, ગોખલા-૩, પ્રતિમાજી-૭૫, પગલાં જોડ-૧૯ તથા ગૌતમસ્વામીની મૂર્તિ આવે છે.
ત્યાંથી આગળ ચાલતાં ભમતીની દેરીઓમાં દર્શન કરતાં રાયણવૃક્ષ આવે છે. રાયણવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દઈ બહાર નીકળીએ એટલે રાયણ-પગલાંની દેરી આવે છે. શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં ઉપર અનેક શુભ લક્ષણોથી અંકિત કરેલી ચાંદીની મનોહર આંગી છે.
અહીં રાયણ-પગલાં સન્મુખ ચોથું ચૈત્યવંદન કરવું.
આગળ ચાલતાં જુદી જુદી દેરીમાં ભરત-બાહુબલી અને ઋષભદેવ પ્રભુની બંને પડખે ઊભેલા નમિ -વિનમિ તેમ જ બ્રાહ્મી અને સુંદરીની ''વીરા મોરા ગજ થકી નીચા ઉતરો, ગજ ચઢે કેવલ ન હોય રે” બાહુબલીને પ્રતિબોધ કરતી સુંદર મૂર્તિઓ છે. શ્રી ઋષભદેવ ભગવાન કાયોત્સર્ગ -મુદ્રામાં ઊભેલા છે. જમણી બાજુએ નિમ હાથમાં ખડ્ગ અને બીજોરું લઈને ઊભા છે. નમિએ દાઢી રાખેલી છે અને મુગટ આદિ અલંકારો છે. વિનમિએ ડાબી બાજુએ એક હાથમાં ખડ્ગ અને બીજા હાથમાં ગદા ધારણ કરેલી છે. ભગવાનનાં ચરણ પાસે ચામરધારી ભકતો ઊભા છે.
આગળ ચાલતાં ગોખલામાં શત્રુંજયનો પંદરમો ઉદ્ધાર કરાવનાર સમરાશા અને તેમની સુપત્ની સમરશ્રીની મૂર્તિ છે. વળી, વિજય શેઠ અને વિજયા શેઠાણીની ઊભી મૂર્તિઓ છે. લગ્ન પહેલાં વિજય શેઠે કૃષ્ણપક્ષમાં બ્રહ્મચર્ય પાળવાની અને વિજયા શેઠાણીએ શુકલ પક્ષમાં બ્રહ્મચર્ય પાળવાનો નિયમ લીધો હતો. લગ્ન પછી બંનેએ બ્રહ્મચર્યનું પાલન કર્યુ. દીક્ષા લીધી. ૮૪૦૦Çસાધુઓને વહોરાવાથી જેટલો લાભ મળે તેટલો લાભ વિજયશેઠ અને વિજયા શેઠાણીને જમાડવાથી લાભ મળે. દેરીઓમાં પ્રભુનાં દર્શન કરતાં ૧૪ રતનનું દેરાસર આવે છે. ગભારામાં અને રંગમંડપમાં થઈને ૧૪ પ્રતિમાજી છે. આથી આ દેરાસર ૧૪ રતનનું દેરાસર કહેવાય છે.
નવી ટૂક - દાદાના મુખ્ય દેરાસરને ફરતી દેરીઓ હતી. આ કારણથી ભવ્ય જિનાલયનું ઉત્તમ કોટિનું શિલ્પકામ ઢંકાયેલું હતું. શેઠ આણંદજી કલ્યાણજીએ નૂતન જિનપ્રાસાદ બંધાવી તેમાં આ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા સંવત ૨૦૩૨ મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org