________________
રાયણવૃક્ષ તીર્થપતિ શ્રી આદીશ્વર ભગવંતની નાસિકાના ટેરવા ઉપર વીજળી પડતાં નાસિકા ખંડિત થઈ. સંઘે મૂળનાયકનું ઉત્થાપન કરી તેમની જગ્યાએ નવા આદીશ્વર ભગવંતના બિમ્બનું સ્થાપન કરવાનું નક્કી કર્યું. આ ભવ્ય, મનોહર, વિશાલ ભાલવાળું નવું બિમ્બ લાવવામાં આવ્યું. પરંતુ અધિષ્ઠાયક દેવના ચમત્કાર સાથે "મા" એવો અવાજ આવવાથી તથા સૂરતવાળા તારાચંદ સંઘવીને સ્વપ્નમાં હવે પછીના ઉદ્ધાર વિના નહિ ઉઠાવવાનું જણાવવાથી મૂળનાયકજીને ઉત્થાપન કરવાનું બંધ રહ્યું. નાકનું ટેરવું સૂરતવાળા તારાચંદ સંઘવીએ રૂપાનું કરાવ્યું. અને (નવા બિમ્બને) શ્રી આદીશ્વર ભગવંતની નવી પ્રતિમાજીને વસ્તુપાલ-તેજપાલે બાંધેલા મંદિરમાં પધરાવ્યાં. તે હાલ નવા આદીશ્વરના દેરાસરને નામે પ્રચલિત છે. પ્રતિષ્ઠા સૂરતવાળા તારાચંદ સંઘવીએ કરાવી. નવા આદીશ્વર ભગવાનના પ્રતિમાજી, બે કાઉસગિયા અને આદીશ્વર ભગવાનની પાદુકા તારાચંદ સંઘવી સૂરતથી સંઘમાં સાથે લઈને આવ્યા હતા. એક ગોખલામાં ૧૫મો ઉદ્ધાર કરાવનાર સમરાશાના કાકા શ્રી અસાધર અને તેમના પત્ની રત્નાશ્રીની મૂર્તિઓ છે.
મેરુ પર્વત - નવા આદીશ્વર ભગવાનના દર્શન કરીને આગળ જતાં પગલાંની દેરીઓ આવે છે. તેની બાજુમાંથી નાના ખાંચામાં થઈને પાછળ જવાય છે. ત્યાં મેરુ પર્વતની રચના આવે છે. અમદાવાદથી શેઠ માણેકલાલ મનસુખભાઈ શ્રી ગિરનાર અને શત્રુંજય તીર્થનો વિ.સં. ૧૯૯૧માં છ'રી પાળતો સંઘ લઈને આવ્યા હતા. તેની યાદગીરીમાં આ મેરુત્રણ વનયુકત સફેદ આરસનો સુશોભિત નવેસરથી બનાવરાવ્યો છે. તેમાં ચૂલિકા ઉપર ચતુર્મુખ ભગવાન બિરાજમાન કર્યા છે. * સમવસરણ દેરાસર-મેરુ પર્વતનાં દર્શન કરીને ભમતીમાં દર્શન કરીને
આગળ વધતાં રથ વગેરે મૂકવાનાં સ્થાન આગળથી નીચે ઊતરીએ ત્યાં સમવસરણનાં દેરાસરે દર્શન કરવાં. આ મંદિર સંઘવી મોતીચંદ
પાટણવાળા એ સંવત ૧૩૭૫માં બંધાવેલ છે. * સમેતશિખનું દેરાસર - આ દેરાસરમાં આઠ દિશામાં થઈને ૨૦
પ્રતિમાજી છે. નીચે પગલાં છે. આ દેરાસર સંવત ૧૭૭૪માં બંધાવેલ છે.
તેની બાજુમાં પાણીનું ટાંકું આવેલ છે. ત્યાંથી આગળ ચાલતાં પગલાનાં દર્શન કરતાં આગળ રાયણવૃક્ષ આવે છે. ત્યાંથી બહાર આવી આદીશ્વર ભગવાનનાં પગલાંનાં (રાયણ પગલાં) દર્શન કરી આગળ વધતાં ગણધર-પગલાં આવે છે. સીમંધરસ્વામીના દેરાસર પાસેની સીડી ઉપર થઈ દાદાનાં દેરાસરના ઉપરના ભાગમાં આવેલ ચૌમુખજીનાં દર્શન થાય છે. આ ચૌમુખજીની સંવત ૧૩૩૭માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org