________________
કો
-અખાપાને પોતાના બાળકોના જીવનસુધાર તરફ ધ્યાન આપવાની નવરાશ કયાં છે? ઘરની અજ્ઞાન દશા, ગલી-શેરી-મહેલ્લા-બજારની વિષમ પરિસ્થિતિ, સ્કુલ અને કેલેજોનાં મલિન વાતાવરણ અને સત્સંગને અભાવ તથા સદુપદેશ અને સુશિક્ષણની ખામી, આથી આજની ઉછરતી પ્રજા પેટે રસ્તે ઝટ દેરવાઈ જાય છે. નાટક, હોટલ અને સિનેમાના શોખ તેમને ખુવાર કરી રહ્યા છે. શૃંગારિક વાચન તેમનું ન ચુસી રહ્યું છે. અધિકાંશ - છેલછબીલા બની વિષયવિલાસ શોધતા ફરે છે. જમાનાને ભપકે ઉપરથી ફક્કડ દેખાય છે, અને અન્દરખાને બ્રહ્મચર્ય પર ભારે કાપ મૂકાઈ રહ્યા છે. આ સ્થિતિ હોય ત્યાં ઉન્નતિને રસ્તે કયાં? તમારે સ્વાદેન્દ્રિય પર કાબુ રાખવો જોઈએ. ખાવા, પીવા તથા પહેરવામાં સંયમ રાખવો જોઈએ. દરેક વત્તન-પ્રવર્તાનમાં સંયમ તથા વિવેકની જરૂર છે. વસ્ત્ર-પરિધાનમાં સંયમ રાખી પરદેશી કાપડનો ત્યાગ કરવો જોઈએ
માણસ જરૂરીયાત વધારી અને વધારે ખરચા રાખી હાથે કરીને દુઃખને નેતરે છે. એટલે ખર્ચે વધારે તેટલી ઉપાધિ વધારે અને તેટલું પાપ વધારે. સાદાઈમાં સુખ અને શાતિ સમજાય તે ઘણી ઉપાધિ ઓછી થઈ જાય. વધારે ખર્ચો રાખીને, મોજશોખમાં પૈસા વેડફને અને બહુ સંગ્રહશીલ બનીને આપણે પાકેશીને દુઃખમાં નાંખીએ છીએ. એથી બીજાએને પિતાના જીવનનિર્વાહની મુશીબત પડે છે. એથી દેશમાં ગરીબાઈ અને ભૂખમ વધે છે. એથી વિષમતા વધે છે. એથી પાપ વધે છે. આમ, પાપનો પરમ્પરા પ્રસરતાં પ્રજામાં અશાતિની ઉબણ આગ ફાટી નિકળે છે. માણસને જોઇએ છે ખાવાને ધન અને પહેરવાને કપડાં. એટલું તે સંયમી, સન્તષી અને પરિશ્રમી આસાનીથી મેળવી શકે. પણ તમે તે પિટ નહિ, પણ પેટી અને પટારા ભરવા વળખાં મારે છે ! એની આ હાળી છે ! પરદેશીના મેહમાં જઈને તમે કરોડોની રોજી પર છુરી ફેરવી છે. અને એના પરિણામે દેશ દિવસે દિવસે ભિખારી થઈ રહ્યો છે. આ દેશમાં અનાજ અને કપાસ જરૂરિયાત કરતાં વધારે પાકે છે. આખે દેશ તૃપ્ત થાય તે ઉપરાંત પણ પરદેશ મોકલવા જેટલું વધે છે. છતાં આપણે શું જોઈએ છીએ? દેશમાં લાખ કુટુંબ એવાં દુઃખી છે કે જેમને પેટ પુરતું ખાવાને અન્ન મળતું નથી અને અંગ ઢાંકવાને કપડાં મળતાં નથી. કેટલી કંગાલ હાલત!
છે પણ એનું ઔષધ એક સ્વદેશી છે. એક પરદેશી કાપડને બહિષ્કાર પણ જે આખા હિન્દમાં બરાબર થાય તે એટલુંયે દેશની આબાદી માટે ઓછું નથી. દેશના કાપડીયાઓમાં દેશભક્તિ વસવી જોઇએ. તેલમાં તણાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org