________________
es
::
ઝનૂની જેશ દેખાડી પિતાની મોહવાસનાને તૃપ્ત કરવામાં બહુ ઉપયુકત થઈ પડે છે. આવાને નભાવનારા પણ ધર્મદ્રોહ કરી પ્રજાનું અહિત કરે છે. એટલે ગુરૂભકિતનું સાચું સ્વરૂપ સમજી લેવાની જરૂર છે. વ્યક્તિના અધૂરાગી ન બનતાં ગુણના રાગી બને. ગુણીને સંગ કરતાં ગુણી થવાય અને દુર્ગુણીની બતથી દુગુણ આવે. પક્ષપાતનાં ચશમા ઉતારી નાંખે. ઝઘડાથી વેગળા ખસી જાઓ. કેઈના ઝઘડાના હથિઆર ન બને. અને તટસ્થપણે પિતાના ચારિત્રગુણના વિકાસ ખાતર સત્સંગના નિર્મળ યોગને શુભ લાભ પ્રાપ્ત કરે.
:::
સ્વાધ્યાય,
સ્વએટલે આત્મા. તેનું ચિન્તન એ સ્વાધ્યાય. “ઓકાર એ સર્વ મને શિરોમણિ છે. એ ઈશ્વરવાચક પ્રણવ શબ્દ છે. એમાં જૈન દષ્ટિએ પાંચ પરમેષ્ઠીઓને સમાવેશ છે. હિન્દુ કિષ્ટિએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને તેમાં સમાવેશ કરાય છે. આત્મવિચારણા, આત્મશાસ્ત્રાધ્યયન, આધ્યાત્મિક વાચન, ઈશ્વરભજન એ બધું સ્વાધ્યાય છે. સ્વાધ્યાય એ આત્માનું સ્નાન છે. ઉષ:કાળમાં જાગૃત થઈ સ્વસ્થ ચિત્તે આત્મચિન્તન અને ઈશ્વરપ્રાર્થના કરવામાં બહુ લાભ છે. એવી આત્માને શાંતિ મળે છે, એથી જીવનવિકાસને માગ સરળ થાય છે. એ કલ્યાણ-સાધનનો આદિ ઉપાય છે.
સંયમ.
છે
.
સ્વાધ્યાય અને અભ્યાસનું પરિણામ સંયમ છે. જ્ઞાનનું ફળ સંયમ છે. આત્મિક, શારીરિક, માનસિક દરેક શકિતના વિકાસનું મૂળ સંયમમાં છે. સંયમનું બળ જેમ જેમ વધે છે તેમ તેમ આત્મબળ ખીલે છે. સુખ અને શાનિને સાચે માગ સંયમ છે. સંયમના માર્ગે માણસ પિતાના જીવનને નિરુપદ્રવી રાખી શકે છે, ઘણું ઘણું છે અને દુઃખમાંથી બચી જાય છે. પવિત્ર અને સુખી જિન્દગી ગુજારવાને રસ્તે સંયમ સિવાય બીજું કઈ નથી. ઇન્દ્રિય પર કાબુ, મન ઉપર કાબુ એ સંયમ છે. જિતેન્દ્રિય થયા સિવાય કલ્યાણ નથી. ઈન્દ્રિયવશીકાર વગર સાચો ગુહસ્થ પણ ન થઈ શકાય, તે મુનિજીવનનું જિતેન્દિયત્વ કઈ કેટીનું હશે? મોક્ષની વાત કરવી રહેલી છે, પણ સંયમ વગર જીવનની કિસ્મત કેટલી? રાગ-દ્વેષના પરાજયમાં સંયમનું માપ અંકાય. રાગ-દ્વેષ અને પરફ્રેહવ્યાપાર ખાંડી ખાંડીને ભર્યા છે, ત્યાં સધ્યા, વન્દન, પૂજન, પિષધ, પ્રતિક્રમણ આદિ કર્મકાંડમાં શું ભલીવાર ! કર્મકાંડની સફળતા સંયમના પાઠે ઝીલવામાં છે. દેવપૂજામાંથી અને સધ્યાવન્દન, સામાયિક આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org