________________
બંડખોર કે વિશ્વબંધુ !
વીલે પારલા મહાસભાસમિતિ તરફથી માગસર વદિ ત્રીજને રવિવારે ન્યાયવિશા ન્યાયતીથી શ્રીમાન ન્યાયવિજયજી મહારાજનું નહેર વ્યાખ્યાન વીલે પારલાની રાષ્ટ્રીયશાલામાં રાખવામાં આવ્યું હતું. શરૂઆતમાં વી, પી.-- મહાસભાસમિતિના પ્રમુખ શ્રી ગોકુલભાઇએ મહારાજશ્રીની વિદ્વત્તા, વકતૃતા, વિચારતા અને વ્યાપક દષ્ટિને પરિચય કરાવી વ્યાખ્યાનની ભૂમિકા રજી કરી હતી. એ પછી ભાઇશ્રી પરમાનન્દ કુંવરજી કાપડિયાએ મહારાજશ્રીને નિભી ક વિચારક, લેખક ને વક્તા ઉપરાન્ત આજના યુગમાં સમાજમાં ક્રાન્તિકારક તરીકે હું બંડખાર ” જાહેર કર્યા હતા. એ પછી મહારાજશ્રીએ પોતાનું ભાષણ શરૂ કરી હાલની રાષ્ટ્રીય લડત વિષે પોતાના વિચારો બહુ છૂટથી જાહેર કર્યા હતા. મહારાજશ્રીનું વ્યાખ્યાન થય બાદ સ્વામી શ્રીઆનન્દ મહારાજશ્રીના વ્યાખ્યાન પર પોતાનો આનન્દ જાહેર કરતાં જણાવ્યું કે :| મકાન બહાર જે હું આ વ્યાખ્યાન સાંભળતા હત તે હું નજ સમજત કે કોઈ જૈન મુનિ આ વ્યાખ્યાન આપી રહ્યા છે. મહારાજ એક અધિકારી પુરૂષ છે, અને તેમની પાસેથી આવા રાષ્ટ્રીય સંદેશા જોરદાર ભાષામાં નિકળે એ દેશનું ન્હોટું સદ્ભાગ્ય સૂચવે છે. મહારાજશ્રી કોઇ ૬૯ સ. સ્પ્રદાયિક '' સાધુ નથી, પણ એઓ વિશ્વબન્ધ સાધુ છે એમ આજે મને એમના વ્યાખ્યાન પરથી ભારા થાય છે. એક જૈન સાધુ આટલી ઉદારતાથી વિશ્વ ક૯યાણની ભાવના ફેલાવે એ જોઇ મને આજે બહુ આનન્દ થયે છે. દેશના સાધુએ. આ રીતે પોતાનું સાધુ જીવન ખિલવે તો દેશનું કેટલું કલ્યાણ થાય.
[ “ જેન ” પત્રના તા. ૩-૧-૩૨ ના કમાં પ્રકાશિત ]
seseeeeeeeeeeeeeeecegesessed
Jain Education remational
www.janetary ang