________________
“દીક્ષા-મીમાંસા
પર કતિપય આ અભિ પ્રાયો
[ ન્યાયવિશારદ–ન્યાયતીર્થ શ્રીન્યાયવિજયજી મહારાજના “દીક્ષા-મીમાંસા” નિબળે દીક્ષાના પ્રશ્ન પર અજવાળું નાખી દીક્ષા--તત્વની સાચી ઓળખ આપી જનતાના હૃદય પર બહુ સારી અસર ઉપજાવી છે એમ જોઈ શકાય છે. એ નિબન્ધ પર આવેલ પ્રતિષ્ઠિત અભિપ્રાયોમાંથી કતિપય અહીં રજુ કરવામાં આવે છે.]
“દીક્ષા-મીમાંસા' નિબન્ધ મેં તથા મહારાજ સાહેબે (કપૂરવિજયજી મહારાજે) વાંચેલ છે. લેખ બહુજ સારી પદ્ધતિથી ને ચ લખાયેલ છે. યોગ્ય દલીલેથી યુક્ત છે. આજે પણ ફરી હું તે લેખ જોઈ ગયે છું. સારગ્રાહી જનોને ખાસ ઉપયોગી છે.
-શેઠ કુવરજી આણંદજી, ભાવનગર.
આપના તરફથી દીક્ષા સમ્બન્ધી નિબન્ધની બુક મળી છે. તે લેખ બહુજ સુન્દર, યુક્તિપૂર્વક તથા શાસ્ત્રસમ્મત રીતે દેશ-ક્ષેત્ર-કાળ-ભાવ ધ્યાનમાં રાખીને લખાયેલું છે. તેમાંના વિચારને હું સંપૂર્ણ રીતે મળતું છું
–શાનમૂર્તિ શ્રી જયન્તવિજયજી મહારાજ
(“આબુ પુસ્તકના મહાન લેખક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org