________________
આજનું આપણું કર્તવ્ય
જિહાજર ન જાણકારી
શ્રીન્યાયવિજયજીનું મનનીય ભાષણ
મહાવીર જૈનવિદ્યાલયમાં મેળાવડો
રાષ્ટ્રીય ધર્મનું મુનિશ્રીએ સમજાવેલું રહસ્ય
અહિંસાનું પાલન કરવા તેમની અપીલ
મુનિશ્રી શું કહે છે?-દેશની આબાદીમાંજ ધર્મની આબાદી છે.
સ્વદેશીનું બરાબર પાલન કરવા તેમની સલાહ
મુનિશ્રી ન્યાયવિજયજીએ ( તા. ર૯-૧૧-૩૨ ) રવિવારે સવારે ૯ કલાકે ગોવાળીયા તળાવ પર આવેલ મહાવીર જૈન વિદ્યાલયમાં “આજનું આપણું કર્તવ્ય” એ ઉપર જાહેર ભાષણ કર્યું હતું અને ધમની આબાદી કરવી હોય તે રાષ્ટ્રને આબાદ બનાવવો જોઈએ એવી સલાહ આપી સ્વદેશી અને અહિંસાનું બરાબર પાલન કરવા અપીલ કરી હતી. શરૂઆતમાં મી. મોતીચંદ કાપડીયાએ મુનિશ્રીની ઓળખાણ આપી મી. નરીમાનને ભાષણ કરવા વિનંતિ કરી હતી.
મી. નરીમાને પ્રસ્તાવના કરતાં જણાવ્યું હતું કે હું મહારાજશ્રીનાં દર્શન કરવા અત્રે આવ્યો છું. એમણે રાષ્ટ્રીય ધ્વજ સબંધી [ કોંગ્રેસ-હાઉસમાં ] જે ભાષણ કર્યું છે તે મનન કરવા જેવું છે. તેમના પ્રચંડ ભાષણમાં તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org