________________
Jain Education International
૨
હુવે ‘ સાહમિયવચ્છલ વિષે વિચારે દર્શાવુ‘ સાહમિય એટલે સામિક. એક રીતે જૈનપરમ્પરાવાળા સાધમિક છે, બીજી રીતે મનુષ્યમાત્ર સામિક છે અને ત્રીજી રીતે પ્રાણીમાત્ર સાધમિક છે. જેમના ધર્મ સમાન તે સામિક, અહિંસા, સત્યને ધમ મનુષ્યમાત્રને સમ્મત છે. એટલે એ દૃષ્ટિએ મનુષ્ય માત્ર સાધમિક છે. આત્માને સચ્ચિદાનન્દ ધમાઁ પ્રાણીમાત્રમાં સ્વરૂપતઃ મેાબૂદ છે. એટલે · નિગેાદ સુધ્ધાં જીવે! સાધર્મિક છે. ‘વાત્સલ્ય’ એટલે તેમનુ ભલુ કરવાની ઉજ્જવળ લાગણી.
વસ્તુતઃ સાહમિવચ્છળ કરવાની કઇ એક પ્રણાલી નથી. જે રીતે સમાજને લાભ પહોંચે અને શાસનની ઉન્નતિ થાય તેવુ સાહમિવચ્છલ કરવાની જરૂર છે. પન્નુસણુ સાથે જમણવારને મેળજ બેસતા નથી. તપસ્યા સાથે જમણવારોની કઇ સ`ગતિજ થતી નથી. ગરીનું દારિદ્રય-દુઃખ એક કે એ વખતના જમણુથી નહિ ફીટે, પણ તેમને સહાયતા આપવાનું શ્રીજી રીતે બની શકે છે. મિષ્ટાન્ન ઝાપટવાથીજ ઉપવાસ સારા થાય એ માન્યતા ભૂલભરેલી છે. સાદો ખોરાક લેવા એ પણ એક તપશ્ચરણ છે. વળી, આજના જમણવારમાં કેટલી બધી હાડમારી, રસાકસી અને અન્ધાધુધી ચાલે છે! મલિનતા, ગન્તકી અને એડવાડની તે ત્યાં વાતજ કરવાની શી હાય ! એટલે બધા એઠવાડ પથરાય અને ગટરમાં પધરાવાય કે જેમાં અસખ્ય કીડાઓ ખદબદતા હોય ! અનન્ત જીવાની ચોખ્ખી હ્રાણુ ! આવા જમણવારને ધાર્મિક જમણવાર કાણુ કહે ! આવા “ સાહમિવચ્છલ થી શું પુણ્ય ! શુ` લાભ ! આવાં જમણા પાછળ હિન્દુસ્તાનના જૈનેના વચ્ચે વરસે લાખા રૂપીયા વેડફાય છે એ ઓછા દુઃખની વાત નથી.
ખરૂ' સાદ્ધમિવચ્છલ ઉદ્યોગમન્દિર, વિદ્યાલયા, બ્રહ્મચર્યાશ્રમો, ઔષધાલયા, સહાયક-ફડા, વિનિતામન્દિરા જેવી સસ્થાએ સારા પ્રમાણમાં ખોલીને સમાજને ઉત્કૃષ્ટ વધારવામાં અને જૈનદર્શનના સિદ્ધાન્તોને જગત્ની સામે વિકસ્વર કરવામાં સમાયું છે. આવાં ક્ષેત્રમાં સમાજના ધનરાશિ જ્યારે ઉચિત પ્રમાણમાં વહેશે, ત્યારેજ જૈનશાસનના ઉદ્દાત થશે.
For Private & Personal Use Only
www.jainelibrary.org