________________
શ્રી મહાવીર
****
વ્યાખ્યાતા ન્યાયવિશારદન્યાયતીર્થ શ્રીન્યાયવિજ્યજી મહારાજ
ઉપક્રમ.
સનાતન સમયથી જે અશ્રમ-પદ્ધતિ ચાલી આવી છે તેના ચાલે ચીલે ભગવાને પિતાની ગતિ લંબાવી છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એ ચાર આશ્રમમાં કમપૂર્વક વિશ્રામ લેતા મહાવીર આખરે પૂર્ણ વિશ્રામી બને છે. માતૃભક્તિ.
દુનિયામાં માતાને ઉપકાર કે નથી. જગતમાં માતૃદેવનું પ્રથમ સ્થાન છે. માતૃ મવ! પિતૃદેવો ભવ! એ બહુ પ્રાચીન ઉપદેશ છે. માતૃભક્તિનું મહાન કત્તવ્ય બજાવવામાં મહાવીર કેટલે ઉચો નંબર લે છે! ગર્ભાવસ્થામાં ગર્ભનું હાલવું-ચાલવું જે નિસગસિદ્ધ છે, પ્રાકૃતિક છે, તેની ઉપર પણ મહાવીર અંકુશ મૂકે છે. અને તે એટલા માટે કે, મારા હાલવા-ચાલવાથી એને મારાં માતાજીને દુઃખ થાય! માતા પ્રત્યે કેટલે ઉન્નત ભાવ !
બાલ-જીવન.
બાલસ્વભાવસુલભ ચાંચલ્ય બાલ મહાવીરમાં ન હોય એ કેમ બને ! બાળ વર્ધમાન જ પિતાના સરખી ઉમ્મરના ગઠીયાઓ સાથે રમે છે, ખેલે છે.
કહ વર્ધમાન, દેવાય, જ્ઞાનન્દન વગેરે મહાવીરનાં નામ છે. પ્રભુનું માતાપિતાસ્થાપિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org