SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ ગુણસ્થાનોમાં ક્ષાવિકભાવના ભેદો. ચેથા ગુણસ્થાનથી અગ્યારમા સુધી ક્ષાયિક સમ્યકત્વરૂપ એક ક્ષાયિક ભાવ પમાય છે. બારમા ગુણસ્થાનમાં ક્ષાયિક સમ્યકત્વ અને ક્ષાયિક ચારિત્ર એ બને ક્ષાવિકભાવે હોય છે. અને તેરમા-ચદમામાં કેવલજ્ઞાન-દર્શન, ક્ષાયિક સમ્યકત્વચારિત્ર અને દાનાદિલબ્ધિ પંચક એમ નવ ભેદ ક્ષાયિકભાવના પ્રાપ્ત હોય છે. ગુણસ્થાનોમાં પરિણાર્મિક ભાવના ભેદો. પ્રથમ ગુણસ્થાનમાં જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણે પરિણામિક ભાવો હોય. બીજા ગુણસ્થાનથી બારમા સુધી જીવત્વ અને ભવ્યત્વ એ બેજ હેય. ચરમ બે ગુણસ્થાનમાં કેવળ જીવત્વ હોય. કેવલી માત્ર પરમાત્મપદે બિરાજે છે. એટલે એમનામાં “ભવ્યત્વ” ન હોય. ગુણસ્થાનમાં સાનિયાતિક ભાવના ભેદ. જે ગુણસ્થાનમાં જેટલા ભાવના જેટલા ભેદ બતાવ્યા છે, તેટલા ભાવના તેટલા ભેદનો સરવાળો કરતાં જે પ્રાપ્ત થાય તેટલા ભેદે તે ગુણ સ્થાનમાં સમજવા. જેમકે, મિથ્યાષ્ટિ ગુણસ્થાનકમાં ઔદયિકભાવના ૨૧, ક્ષાપશમિક ભાવના દશ અને પરિણામિક ભાવના ત્રણ ભેદે બતાવ્યા છે. એટલે એ સર્વને સરવાળે કરતાં ચિત્રીણભેદનિષ્પન્ન સાન્નિપાતિકભાવ મિથ્યાદૃષ્ટિમાં સમજ. અર્થાત્ મિયાદષ્ટિ ગુણસ્થાનમાં સાત્રિપતિકભાવના ૩૪ દો ગણાય. સાસાદન ગુણસ્થાનમાં ૩૨ (ક્ષાપશમિકના ૧૦, ઐયિકના રે, પરિણામિકના ૨). મિત્રમાં ૩૩ (ક્ષાપશમિકના ૧૨, એયિકના ૧૯, પરિણામિકના ૨). અવિરતિ ગુણસ્થાનમાં ૩૫ (ક્ષાપશમિકના ૧૨, ઔદયિકના ૧૯, પરિણામિકના ૨, ઔપશમિકને ૧, ક્ષાયિક ૧). દેશવિરતિ ગુણસ્થાનમાં ૩૪ (ાયોપથમિકના ૧૩, દયિકના ૧૭, આપશમિક ૧, ક્ષાયિકને ૧, પરિણામિકના ૨). પ્રમત્ત ગુણસ્થાનમાં ૩૩ (ક્ષાપશમિકના ૧૪, દયિકના ૧૫, પરિણામિકના ૨, પથમિકને ૧, ફાયિક ૧). અપ્રમત્ત ગુણસથાનમાં ૩૦ (ક્ષાપશમિકના ૧૪, ઔદયિકના ૧૨, પરિણામિકના ૨, પથમિક ૧, ક્ષાયિક ૧). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy